ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની મહેર
ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની મહેર
Published on: 14th September, 2026

ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં તાલાલા અને ઉના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીની લહેર છે, કારણ કે આ વરસાદ મગફળી, સોયાબીન, કપાસ અને આંબાવાડીઓ જેવા પાકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. જોકે, વેરાવળ-સાસણ સ્ટેટ હાઈવે અને ઉના શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.