જામનગરના 112ના બે પોલીસ જવાનો જુગારના દરોડા દરમિયાન તોડ કરવા બદલ સસ્પેન્ડ.
જામનગરના 112ના બે પોલીસ જવાનો જુગારના દરોડા દરમિયાન તોડ કરવા બદલ સસ્પેન્ડ.
Published on: 14th September, 2026

જામનગર શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં ચાલતા જુગારધામ પર 112 નંબરની PCR વાનના જવાનો દ્વારા રૂ.35 હજારનું સેટલમેન્ટ કરી લેવાના આક્ષેપો બાદ પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીએ ગંભીર નોંધ લઈને ફરજમાં બેદરકારી અને શિસ્તભંગ બદલ ASI નરેશભાઈ પરમાર અને પોલીસ કોન્સ્ટેબલ મીતરાજસિંહ જાડેજાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓને તપાસ સોંપવામાં આવી છે અને CCTV ફૂટેજ સહિત વિવિધ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઈ છે.