નર્મદામાં ગેરકાયદેસર ખનન અને જંગલ અતિક્રમણ
નર્મદામાં ગેરકાયદેસર ખનન અને જંગલ અતિક્રમણ
Published on: 18th July, 2026

નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન અને જંગલોના નિકંદનનો મુદ્દો ઉઠાવી વહીવટી તંત્રની પોલ ખોલી હતી. તેમણે રેતી ભરીને બેરોકટોક દોડતા હાઈવા (ડમ્પર) પર તાત્કાલિક બ્રેક લગાવવા અને ઓવરલોડિંગ તેમજ ગેરકાયદે ખનન સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ગ્રામ પંચાયતો ખોટા દાખલા આપી ગેરકાયદે ખેડાણને કાયદેસર કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો.