જામનગર અપહરણકાંડ: ૧૦ દિવસની તપાસ બાદ ૧૨ વર્ષની બાળકી હેમખેમ મળી
જામનગર પોલીસે એક ગરીબ વિધવા મહિલાની ૧૨ વર્ષની પુત્રીના અપહરણના કેસમાં ૧૦ દિવસની સઘન ટેકનિકલ તપાસ બાદ પોરબંદરમાંથી બાળકીને સુરક્ષિત મુક્ત કરાવી છે. આરોપી જેસીબી ચાલક કાના મેરામણને ઝડપી લેવાયો છે. બાળકીના મેડિકલ પરીક્ષણ બાદ પોલીસે દુષ્કર્મ અને પોક્સો સહિતની ગંભીર કલમો ઉમેરી ધરપકડ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ જગાવ્યો હતો, જેના પગલે સમાજના આગેવાનોએ બાળકીને તાત્કાલિક શોધી કાઢવાની માંગ કરી હતી. જામનગર LCBની ઝડપી કાર્યવાહીથી ગુનાનો ભેદ ઉકેલાયો.
જામનગર અપહરણકાંડ: ૧૦ દિવસની તપાસ બાદ ૧૨ વર્ષની બાળકી હેમખેમ મળી
ગાંધીનગરના કંથારપુરાના 500 વર્ષ જૂના ઐતિહાસિક વડને બચાવવા વૈજ્ઞાનિક સારવાર શરૂ
ગાંધીનગર જિલ્લાના કંથારપુરા ગામમાં આવેલો 500 વર્ષ જૂનો મહાકાળી માતાનો વડ, જે છેલ્લા કેટલાક સમયથી સુકાવા લાગ્યો હતો અને ઉધઈ-ફૂગનો ભોગ બન્યો હતો, તેને હવે વૈજ્ઞાનિક સંરક્ષણ હેઠળ લેવાયો છે. વન વિભાગે નિષ્ણાતોની સલાહ મુજબ આ ઐતિહાસિક વૃક્ષના સંરક્ષણની કામગીરી શરૂ કરી છે. પ્રથમ તબક્કામાં, મુખ્ય થડ અને વડવાઈઓ પર ખાસ દવાઓનો ઉપયોગ કરી જીવાણુઓનો પ્રકોપ નિયંત્રિત કરાયો છે. વૃક્ષની તંદુરસ્તી સુધારવા પોષક તત્વો અપાઈ રહ્યા છે. વડની આસપાસ ઇંટોના પોષણ કુંડ બનાવી ગુણવત્તાયુક્ત માટી અને ખાતર ઉમેરાશે, જેથી નવા મૂળનો વિકાસ સરળ બને.
ગાંધીનગરના કંથારપુરાના 500 વર્ષ જૂના ઐતિહાસિક વડને બચાવવા વૈજ્ઞાનિક સારવાર શરૂ
જૂનાગઢના જામવાડી પુલ મામલે ધારાસભ્ય કરગઠીયાએ સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
જૂનાગઢ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળેલી સંકલન બેઠકમાં માળીયા-માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા પોતાના વિસ્તારના જામવાડી પુલ અને અન્ય પ્રશ્નોનો ઉકેલ ન આવતા ભારે રોષે ભરાયા હતા. તેમણે ગેરકાયદેસર રીતે બનેલા પુલને કારણે 1000 વિઘા જમીનના ધોવાણ અને ખેડૂતોને થતી મુશ્કેલી અંગે જણાવ્યું, તેમજ શારદાગ્રામ કોલેજની જગ્યા પર થયેલ પેશકદમી દૂર કરવાના પ્રશ્નોની રજૂઆત કરી હતી. વારંવાર રજૂઆત છતાં નિકાલ ન થતાં તેમણે બેઠકનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે, કલેક્ટરે તાત્કાલિક ઉકેલની ખાતરી આપી તેમને ફરી બેસાડ્યા હતા.
જૂનાગઢના જામવાડી પુલ મામલે ધારાસભ્ય કરગઠીયાએ સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
અમરેલી જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો ખતરો
રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસનો ખતરો વ્યાપક બન્યો છે, ત્યારે અમરેલી જિલ્લાના છ તાલુકાઓમાં બાળકોના નિષ્ણાત ડોકટરોની ગંભીર અછત જોવા મળી રહી છે. લીલીયા, લાઠી, ધારી, ખાંભા, જાફરાબાદ અને કુંકાવાવમાં બાળકોના તબીબોની ગેરહાજરીને કારણે, કોઈપણ બાળકની તબિયત બગડ્યે સારવાર માટે અન્ય તાલુકામાં જવું પડે છે. આરોગ્ય વિભાગે આગમચેતીના ભાગરૂપે CMEનું આયોજન કર્યું હતું, જેમાં પ્રાઇવેટ પીડીયાટ્રીશ્યન અને ફિઝીશ્યન સાથે ચાંદીપુરા વાયરસ અંગે ચર્ચા થઈ. સર્વેલન્સ અને જાગૃતિ કાર્યક્રમો દ્વારા ભય ઘટાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
અમરેલી જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો ખતરો
સુરતના ગોપીપુરામાં લિફ્ટમાં ફસાયેલા ત્રણ બાળકોને ફાયરબ્રિગેડ દ્વારા 18 મિનિટમાં સુરક્ષિત બહાર કઢાયા
ગોપીપુરા સ્થિત મણીભદ્ર એપાર્ટમેન્ટમાં લિફ્ટનો દરવાજો અચાનક લોક થઈ જતાં ત્રણ બાળકો અંદર ફસાઈ ગયા હતા. આ ઘટના શુક્રવારે રાત્રે બની હતી જ્યારે 10 વર્ષીય મિલન, 9 વર્ષીય જીનાંશ અને 4 વર્ષીય દિવ્યાંશ બીજા માળેથી નીચે આવી રહ્યા હતા. બાળકો ગભરાઈ ગયા હતા અને બુમો પાડવા લાગ્યા હતા. રહીશોના પ્રયાસો નિષ્ફળ રહ્યા બાદ, ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી. ફાયરની ટીમે 18 મિનિટની અંદર ત્રણેય બાળકોને સફળતાપૂર્વક બચાવી લીધા હતા.
સુરતના ગોપીપુરામાં લિફ્ટમાં ફસાયેલા ત્રણ બાળકોને ફાયરબ્રિગેડ દ્વારા 18 મિનિટમાં સુરક્ષિત બહાર કઢાયા
સમયસર જાણ અને ઝડપી કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
સુરતના વેસુ વીઆઈપી રોડ પર સનસાઇન રેસિડન્સીના આઠમા માળે ટીવીમાં શોર્ટસર્કિટથી આગ લાગી. ધુમાડાને કારણે 91 વર્ષીય વૃદ્ધાને શ્વાસ લેવામાં તકલીફ પડી અને ઓક્સિજન લેવલ ઘટી ગયું. પરિવારના અન્ય સભ્યો બાલ્કનીમાં પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ બ્રીધિંગ એપેરેટસ (BA Set) સાથે પહોંચી, દરવાજો તોડી ત્રણેયને સુરક્ષિત બહાર કાઢ્યા. વૃદ્ધાને હોસ્પિટલમાં ખસેડાયા. આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. કોઈ જાનહાની થઈ નથી.
સમયસર જાણ અને ઝડપી કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
ચોમાસામાં ગુજરાતમાં 743 મોત
ગુજરાતમાં ચોમાસા દરમિયાન થયેલા ભારે વરસાદ અને તેના કારણે સર્જાયેલી દુર્ઘટનાઓમાં છેલ્લા 5 વર્ષમાં 743 લોકોએ જીવ ગુમાવ્યો છે. સુરતમાં ખાડી પૂરમાં 42થી વધુ લોકો મૃત્યુ પામ્યા, જ્યારે વડોદરા પણ આવા જ પૂરનો ભોગ બન્યું. સરકાર વિકાસના દાવા કરતી હોવા છતાં, આવી આફત સમયે પીડિત પરિવારોને યોગ્ય સહાય મળતી નથી. પ્રિ-મોન્સૂન કામગીરીમાં બેદરકારી, અણઘડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખુલ્લા ખાડા જેવી સમસ્યાઓ નિર્દોષ લોકોના જીવ લઇ રહી છે. અમદાવાદમાં કરંટથી દંપતીના મોત બાદ પણ ન્યાય મળ્યો નથી. આ ઘટનાઓ વિકાસના પોકળ દાવા અને શાસકોની નિષ્ક્રિયતા દર્શાવે છે.
ચોમાસામાં ગુજરાતમાં 743 મોત
વડોદરામાં વાહનચાલકોની સુરક્ષા માટે વુડા સર્કલનો સિંહ 8 મીટર ખસેડાશે
વડોદરાના વુડા સર્કલ પર રોજ 1.50 થી 2 લાખ વાહનોની અવર-જવર રહે છે, જેના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતોની સમસ્યા રહે છે. વાહનચાલકોને બિનજરૂરી ઊભાં રહેવું પડે છે, બળતણનો બગાડ થાય છે અને પ્રદૂષણ વધે છે. આ સ્થિતિને હળવી કરવા, શહેર પોલીસના ટ્રાફિક વિભાગે વુડા સર્કલના સિંહને 8 મીટર રાત્રી બજાર તરફ ખસેડવાનું સૂચન કર્યું છે. આ ફેરફારથી ટ્રાફિકનો ફ્લો વધુ સરળ બનશે અને અમિતનગર, ફતેગંજ, રાત્રીબજાર તથા કારેલીબાગ તરફનો વાહન વ્યવહાર સુગમ બનશે.
વડોદરામાં વાહનચાલકોની સુરક્ષા માટે વુડા સર્કલનો સિંહ 8 મીટર ખસેડાશે
વડોદરાના યવતેશ્વર ટ્રસ્ટની 2400 કરોડની જમીન પર બૂલડોઝર
યવતેશ્વર મહાદેવ મંદિરની 2400 કરોડની 41 એકર જમીન પર બૂલડોઝર ફેરવાયું છે. હાઈકોર્ટે રાજવી પરિવારનો દાવો ફગાવી 35 વર્ષ જૂના કેસનો અંત લાવ્યો છે. આ જમીન પર આવેલ રિસોર્ટ, ગેસ્ટ હાઉસ, 55 દુકાનો, 8 રહેણાક ઇમારતો, 12 ઓરડી અને વાહન શોરૂમ સહિત 100થી વધુ મિલકતો તોડી પાડવામાં આવી છે. લોકોને ઘર ખાલી કરવા સમય અપાયો હતો, પરંતુ દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારાઈ છે.
વડોદરાના યવતેશ્વર ટ્રસ્ટની 2400 કરોડની જમીન પર બૂલડોઝર
આણંદમાં સિંચાઈ વિભાગે ઘર સામે ગંદકી ઠાલવી
આંકલાવ તાલુકાના આસોદર ગામના ગ્રામજનોએ સિંચાઈ વિભાગ સામે ગંભીર રોષ વ્યક્ત કર્યો છે. GR-14 મહી કેનાલ પાસે રહેતા લોકોને છેલ્લા ચાર વર્ષથી રસ્તાની સુવિધા નથી મળી રહી, અને લેખિત રજૂઆતો અને 'સ્વાગત' કાર્યક્રમમાં ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. હવે, કેનાલની સફાઈ દરમિયાન નીકળેલી ગંદકી સીધી લોકોના ઘર સામે ઠાલવી દેવામાં આવી છે, જેના કારણે ભારે દુર્ગંધ અને આરોગ્યનું જોખમ ઊભું થયું છે. ગ્રામજનોએ જિલ્લા વહીવટીતંત્ર અને સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની અને રસ્તાનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલવાની માંગ કરી છે.
આણંદમાં સિંચાઈ વિભાગે ઘર સામે ગંદકી ઠાલવી
નડિયાદ મનપા મેયરના વોર્ડમાં ગંદકી અને કાદવ
નડિયાદ મહાપાલિકાના મેયર મનીષ પટેલના વોર્ડ નં 11ના ઇન્દીરા નગર વિસ્તારમાં રસ્તા પર ચોમાસાના વરસાદી પાણી ભરાવાથી કાદવ કીચડની અસહ્ય ગંદકી સર્જાઇ છે. મુખ્ય માર્ગ પર જામેલા કાદવને કારણે સ્થાનિક રહીશો, વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. બાળકોને શાળાએ જતાં-આવતાં પણ કાદવ ખૂંદવો પડે છે, જેનાથી કપડાં, ચંપલ બગડે છે અને ચામડીના રોગ થવાની ભીતિ વાલીઓને સતાવી રહી છે. મનપા તંત્ર પાસે તાત્કાલિક ઉકેલની માગણી છે.
નડિયાદ મનપા મેયરના વોર્ડમાં ગંદકી અને કાદવ
પાલનપુરના સદરપુર ગામેથી રૂા.1.89 લાખનો દારૂ ઝડપાયો
પાલનપુર શહેરમા સદરપુર ગામમાં અંબાજી માતાના મંદિર પાછળ જાહેર રોડ ઉપર કેટલાક ઈસમો રિક્ષા અને જ્યુપીટર સ્કુટર પર વિદેશી દારૂ રાખી તેનું વેચાણ થઈ રહ્યુ હોવાનુ જાણવા મળતા રેડ રણવીરભાઈ ઉર્ફે લાલો ઠાકોર તથા સુરેશભાઈ ઠાકોર (બંને રહે.સદરપુર) અને રૂત્વીકભાઈ જગાણીયા (રહે, આંબલીયાળ) ઝડપી લીધા હતા. પોલીસે રૂ.1.89 લાખનો દારૂ જપ્ત કર્યો હતો.
પાલનપુરના સદરપુર ગામેથી રૂા.1.89 લાખનો દારૂ ઝડપાયો
હિંમતનગરના ગાંભોઈમાં જનરક્ષક સાથે ઝપાઝપી
હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશન હેઠળના નાનીબેબાર ગામના ચાર શખ્સોએ ૧૧૨ જનરક્ષક પોલીસ વાનમાં ફરજ પર રહેલા પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી તેમના કપડાં ફાડી નાખ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સુરેશ બાબુભાઈએ ચાર આરોપીઓ વાલજી રૂપશીભાઈ ભગોરા, નિતીન વાલજીભાઈ ભગોરા, સંજય વાલજીભાઈ ભગોરા અને છબીલ વાલજીભાઈ ભગોરા વિરુદ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
હિંમતનગરના ગાંભોઈમાં જનરક્ષક સાથે ઝપાઝપી
સાબરકાંઠાની ખાસ લોક અદાલતમાં 405 કેસોનો સફળતાપૂર્વક નિકાલ થયો
નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881 હેઠળના કલમ 138 સંબંધિત કેસોના ઝડપી નિકાલ માટે સાબરકાંઠાની તમામ અદાલતોમાં એક ખાસ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં કુલ 405 કેસોનું સમાધાન દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ લોક અદાલતમાં વકીલો, પક્ષકારો અને બાર એસોસિયેશનના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સાબરકાંઠાની ખાસ લોક અદાલતમાં 405 કેસોનો સફળતાપૂર્વક નિકાલ થયો
અરવલ્લી જિલ્લાના માઝુમ ડેમ ખાતે મોકડ્રીલમાં ડૂબતી વ્યક્તિનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું.
અરવલ્લી જિલ્લાના માઝુમ ડેમ ખાતે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં, કંટ્રોલ રૂમમાં માઝુમ ડેમમાં એક વ્યક્તિ ડૂબી રહી હોવાનો સંદેશ મળતા જ ફાયર બ્રિગેડ અને 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી. તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ફાયર બ્રિગેડની ટીમે પાણીમાં ડૂબી રહેલી વ્યક્તિનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું. 108 ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી. આ બચાવ કામગીરી એક મોકડ્રીલ હતી, જેનું ઉદ્દેશ્ય વિવિધ વિભાગોના સંકલન અને પ્રતિસાદ વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવાનો હતો.
અરવલ્લી જિલ્લાના માઝુમ ડેમ ખાતે મોકડ્રીલમાં ડૂબતી વ્યક્તિનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું.
વડોદરા હરણી બોટકાંડ: ન્યૂ સનરાઇઝ સ્કૂલની મંજૂરી તપાસો અને લાઇસન્સ રદ કરો
હરણી લેકઝોનમાં બે વર્ષ પહેલા થયેલી બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓ સહિત 14 લોકોના મૃત્યુ બાદ, ન્યૂ સનરાઇઝ સ્કૂલ સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. પીડિત પરિવારોએ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર સુપરત કરીને સ્કૂલની મંજૂરી અને સ્થળની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, સ્કૂલ જે મકાનમાં ચાલે છે તે રહેણાંક મકાન હતું અને તેની હાલત જર્જરિત છે. આ સ્કૂલના સંચાલકો માત્ર વેપાર કરવા પર ધ્યાન આપે છે. તેથી, તેમણે સ્કૂલનું લાઇસન્સ રદ કરવાની માંગ કરી છે.
વડોદરા હરણી બોટકાંડ: ન્યૂ સનરાઇઝ સ્કૂલની મંજૂરી તપાસો અને લાઇસન્સ રદ કરો
હિંમતનગરમાં ચતુર્માસ માટે મુનિ મહારાજના સંઘનું ભવ્ય સામૈયું કરાયું
જૈન સંપ્રદાય માટે ચતુર્માસનું વિશેષ મહત્વ છે. શનિવારે, મુનિ મહારાજ અને અન્ય અનુયાયીઓ હિંમતનગરમાં ચતુર્માસ ગાળવા માટે પધાર્યા, ત્યારે તેમનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું. પ.પૂ. યોગતિલક સુરીશ્વરજી મ.સા.ની નિશ્રા હેઠળ, ભાવેશ ભંડારીએ સંસાર ત્યાગીને દિક્ષા લીધા બાદ મુનિરાજ શ્યાદ્દવાદ તિલક વિજયજી બન્યા. તેઓ મુનિ મહારાજ હેત તિલક વિજયજી સાથે જૈન સંઘમાં આવ્યા, જ્યાં જ્ઞાતિજનોએ તેમનું સ્વાગત કર્યું. હવે તેઓ જૈન રામાયણ ગ્રંથ પર દરરોજ પ્રવચન આપશે.
હિંમતનગરમાં ચતુર્માસ માટે મુનિ મહારાજના સંઘનું ભવ્ય સામૈયું કરાયું
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા: ડાંગસીયા વસાહતવાસીઓ 18મી સદીના અનુભવ સાથે વિકાસની રાહ જોઈ રહ્યા છે
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યાના દોઢ વર્ષ બાદ પણ શહેરના અનેક વિસ્તારોમાં વિકાસ પહોંચ્યો નથી. વોર્ડ નંબર 7માં આવેલી ડાંગસીયા વસાહતમાં શ્રમિક પરિવારો પાયાની સુવિધાઓ વગર પીડાઈ રહ્યા છે. રસ્તાઓની હાલત ખરાબ છે, ખુલ્લી ગટરો અને ઠેર-ઠેર કચરાના ઢગલાને કારણે રહીશો 18મી સદીમાં જીવતા હોવાનો અનુભવ કરી રહ્યા છે. અધુરા સીસી રોડ અને પેવર બ્લોકની માંગણી સાથે, જો સુવિધાઓ નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા: ડાંગસીયા વસાહતવાસીઓ 18મી સદીના અનુભવ સાથે વિકાસની રાહ જોઈ રહ્યા છે
હળવદ: પુત્રએ માતાની જમીન હડપવા બોગસ વારસાઈ નોંધાવી, માતાએ નોંધાવી ફરિયાદ
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતા એક મહિલાએ પોતાના પુત્ર સામે જમીન પચાવી પાડવા માટે બોગસ વારસાઈ નોંધણી કરાવી હોવાની ફરિયાદ નોંધાવી છે. રાજકોટના મહિલાના સગા પુત્રએ માતાની જાણ બહાર, ખોટું પેઢીનામું તૈયાર કરાવી, માતાની સહીઓ કરી, હક્કપત્રકમાં પોતાનું અને ભાઈનું નામ ચડાવી દીધું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના "જર જમીન અને જોરું ત્રણ કજીયાના છોરું" ઉક્તિને સાર્થક કરતી જણાય છે.
હળવદ: પુત્રએ માતાની જમીન હડપવા બોગસ વારસાઈ નોંધાવી, માતાએ નોંધાવી ફરિયાદ
જુવાલ ગામમાંથી 121 કફ્સીરપ સાથે બે ઝડપાયા, એક વોન્ટેડ જાહેર
બાવળા પોલીસને જુવાલ ગામમાં નશાકારક કફ્સીરપનું ચોરી છૂપીથી વેચાણ થતું હોવાની બાતમી મળતા રેડ પાડી હતી. જેમાં પોલીસે અજય ઉર્ફે અજગર ભરતભાઈ ગોહેલ અને અશ્વિન ઉર્ફે હરેશ શ્રાવણભાઈ ગોહેલને 121 કફ્સીરપ, રોકડા રૂપિયા 30,000 અને મોબાઇલ સાથે ઝડપી પાડ્યા. પ્રાથમિક તપાસમાં તેમણે આ કફ્સીરપ જુવાલ ગામના અશ્વિન ઉર્ફે બોડલ પાસેથી લાવ્યા હોવાની કબૂલાત કરી. પોલીસે બંનેની ધરપકડ કરી, અશ્વિન ઉર્ફે બોડલને વોન્ટેડ જાહેર કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
જુવાલ ગામમાંથી 121 કફ્સીરપ સાથે બે ઝડપાયા, એક વોન્ટેડ જાહેર
લખતર નજીક મોઢવાણા પાસે કાર ખાડામાં ઉતરી પલટી
લખતર તાલુકાના મોઢવાણા ગામ પાસે સુરેન્દ્રનગર - માલવણ હાઇવે પર એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. મહેસાણાના સણુંથલા ગામના જગતસિંહ ઝાલા પરિવાર સાથે દ્વારકા દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. મોઢવાણા નજીક વળાંક પર રોંગ સાઈડ આવતા ટ્રકને બચાવવાના પ્રયાસમાં કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે કાર રોડ સાઈડના ખાડામાં ઉતરી પલટી મારી ગઈ હતી. સદ્દભાગ્યે, કારમાં સવાર દંપતી અને બે બાળકોને સામાન્ય ઈજા થતાં તેઓ આબાદ બચી ગયા હતા.
લખતર નજીક મોઢવાણા પાસે કાર ખાડામાં ઉતરી પલટી
ચોટીલાના અનાજ ગોડાઉનની લિફ્ટમાં યુવાનનું માથુ બીમમાં અથડાતા દર્દનાક મોત
ચોટીલામાં ચોકાવનારી ઘટના બની છે, જ્યાં બસ સ્ટેન્ડ રોડ પર આવેલ એક અનાજની દુકાનના ગોડાઉનમાં યુવાનનું મોત થયું. છુટક મજુરી કરતો ૨૮ વર્ષીય દીપકભાઈ ભનુભાઇ મકવાણા લિફ્ટ મારફતે ઉપરના વોશરૂમમાં જઈ રહ્યો હતો. તે સમયે લિફ્ટનું માથુ બીમમાં અથડાતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. પોલીસે FSL ની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.
ચોટીલાના અનાજ ગોડાઉનની લિફ્ટમાં યુવાનનું માથુ બીમમાં અથડાતા દર્દનાક મોત
હળવદ નજીક શાળાની બસ ટ્રકમાં ઘૂસી
હળવદના દેવીપુર ગામ પાસેથી પસાર થતી ખાનગી શાળાની બસ ટ્રકની પાછળ અથડાતા 8 વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી. ચરાડવા ગામની શાળાના વિદ્યાર્થીઓને લઈ જતી બસ માથક ગામથી પરત ફરી રહી હતી ત્યારે મોરબી-હળવદ હાઇવે પર અચાનક ઊભા રહેલા ટ્રક સાથે ટકરાઈ હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક ચરાડવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી વધુ ઈજાગ્રસ્ત બે બાળકોને મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હળવદ પોલીસે આ ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ નજીક શાળાની બસ ટ્રકમાં ઘૂસી
સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા મારામારી અને પોલીસ પર હુમલા કેસનો ફરાર આરોપી પકડાયો
સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના ફતેપુર ગામે તા. 15-1-26ના રોજ એક જ જ્ઞાતીના 2 જુથો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં ઘટનાસ્થળે ગયેલ પોલીસ ઉપર પણ હુમલો થયો હતો. જેમાં મારામારીની 19 આરોપીઓ સામે તથા પોલીસની ફરજમાં રૂકાવટની 9 આરોપીઓના નામ સાથે કુલ 25ના ટોળા સામે ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ થઈ હતી. આ બન્ને ગુનાના ફરાર આરોપી વશરામ રત્નાભાઈ ખાંભલાને પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લઈ સ્થાનીક પોલીસના હવાલે કર્યો છે.
સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા મારામારી અને પોલીસ પર હુમલા કેસનો ફરાર આરોપી પકડાયો
અમદાવાદના બાવળામાં જપ્ત કરાયેલા લારી ગલ્લા પરત કરવા અંગે નગરસેવકો દ્વારા પાલિકાને રજૂઆત.
બાવળા શહેરમાં ટ્રાફ્કિ અને દબાણ દૂર કરવા પાલિકા દ્વારા લારી ગલ્લા જપ્ત કરાયા હતા. આ અંગે સ્થાનિક નગરસેવકોએ ચીફ્ ઓફ્સિર અને પ્રમુખ સમક્ષ લેખિત રજૂઆત કરી છે. તેઓએ જણાવ્યું કે, રોજ કમાઈને ગુજરાન ચલાવતા ગરીબ લારી ધારકો માટે ₹5000 દંડ ભરવો અશક્ય છે. તેથી, દંડની રકમ ઘટાડીને તેમના જપ્ત થયેલા લારી ગલ્લા પરત આપવા વિનંતી કરવામાં આવી છે, જેથી તેઓ પોતાની આજીવિકા ચાલુ રાખી શકે.
અમદાવાદના બાવળામાં જપ્ત કરાયેલા લારી ગલ્લા પરત કરવા અંગે નગરસેવકો દ્વારા પાલિકાને રજૂઆત.
વિક્રમ-1 રોકેટની સફળતા: ભાવનગરના દર્શનનું સોફ્ટવેર ક્ષેત્રે કીમતી યોગદાન
ભારતે સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા સૌપ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-1' સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિમાં ભાવનગરના યુવાન સોફ્ટવેર ઇજનેર દર્શન ત્રિવેદીનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. તેઓ રોકેટના હેન્ડલિંગ સોફ્ટવેરના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા હતા. છેલ્લા ત્રણ મહિનાથી તેઓ આ પ્રોજેક્ટ પર અથાક મહેનત કરી રહ્યા હતા, જેમાં 15 ઇજનેરોની ટીમનો સમાવેશ થાય છે. દર્શન ત્રિવેદીએ ચિપ્સ પ્રોગ્રામિંગ ક્ષેત્રે કરેલા અભ્યાસ બાદ સ્કાયરૂટ જેવી પ્રતિષ્ઠિત કંપનીમાં એમ્બેડેડ સોફ્ટવેર ઇજનેર તરીકે ત્રણ વર્ષથી કાર્યરત છે.
વિક્રમ-1 રોકેટની સફળતા: ભાવનગરના દર્શનનું સોફ્ટવેર ક્ષેત્રે કીમતી યોગદાન
લખતરમાં જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનના પુત્ર પર હુમલો
સુરેન્દ્રનગરના લખતરમાં જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનના પુત્ર પર થયેલા હુમલા બાદ સામસામે ફરિયાદ નોંધાઈ છે. જયંતીભાઈ નાનજીભાઈ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ટીડીઓ અને મામલતદારમાં ગટર કામ બાબતે રજૂઆતનું મનદુઃખ રાખી નંદુબેન, અલ્પાબેન, મોન્ટુ, તૃપ્તીબેન અને બીપીન દ્વારા તેમની કાર પર પથ્મારા કરીને કાચ તોડી નાખવામાં આવ્યા હતા. ઉપરાંત, ઘર પર પથ્થરમારો કરી અને મંદિર પાસે ભાઈના કેબીનને પણ નુકશાન પહોંચાડાયું હતું.
લખતરમાં જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનના પુત્ર પર હુમલો
ચોટીલા ગ્રામ્યમાં પિતા-પુત્રનો પાઈપ વડે હુમલો
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના દેવપરા ગામમાં, સુરેશભાઈ રાયધનભાઈ સાકળીયા પર વનરાજ તળશીભાઈ શીશા અને તેના પુત્ર અશ્વીન શીશાએ પાઈપ વડે હુમલો કર્યો. આ ઘટના ગોલીડાના બસ સ્ટેશન પાસે બની, જ્યાં સુરેશભાઈ કારમાં હવા પુરાવી રહ્યા હતા. પિતા-પુત્રે તેમના ભત્રીજા સાથે થયેલી માથાકુટ બાબતે ઝઘડો કરીને સુરેશભાઈ, તુલસીદાસ અને વનરાજભાઈને માર માર્યો. ઇજાગ્રસ્તોને દવાખાને લઈ જવાયા. શરૂઆતમાં સુરેશભાઈએ ફરિયાદ કરી ન હતી, પરંતુ વનરાજ શીશાની ફરિયાદ બાદ તેઓ પોલીસ મથકે હાજર થતાં આ ફરિયાદ નોંધાઈ.
ચોટીલા ગ્રામ્યમાં પિતા-પુત્રનો પાઈપ વડે હુમલો
સુરેન્દ્રનગર કલેક્ટર દ્વારા ચાંદીપુરા વાયરસ અંગે તકેદારી રાખવા સૂચના
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી ફરિયાદ અને સંકલન સમીતીની બેઠકમાં, જિલ્લા કલેક્ટર જી.એચ.સોલંકીએ ચાંદીપુરા વાયરસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જિલ્લામાં આ વાયરસ સામે તકેદારી રાખવા, કાચા ઘરોમાં દવા છંટકાવ સઘન બનાવવા અને રોગચાળા સામે પ્રીવેન્ટીવ એકશન લેવા અધિકારીઓને તાકીદ કરી. ઝાલાવાડમાં બે શંકાસ્પદ કેસ નોંધાયા હતા, પરંતુ રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. અધિકારીઓએ નાગરિકોની ફરિયાદોનો સમયસર નિકાલ કરવા અને વીજ લોડ, નર્મદા કેનાલ, તેમજ સૌની યોજના મારફતે ખેડૂતોને પાણી પહોંચાડવા જેવા પ્રશ્નો પર પણ ચર્ચા કરી.
સુરેન્દ્રનગર કલેક્ટર દ્વારા ચાંદીપુરા વાયરસ અંગે તકેદારી રાખવા સૂચના
પોલિટેકનિક કોલેજોના અધ્યાપકો દ્વારા સ્ટાફ અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકારમાં રજૂઆત
રાજ્યની સરકારી પોલિટેકનિક સંસ્થાઓમાં લાંબા સમયથી વહીવટી અને શૈક્ષણિક પ્રશ્નોના ઉકેલ માટે પોલિટેકનિક અધ્યાપક મંડળ (PAM) દ્વારા શિક્ષણમંત્રી, અધિક મુખ્ય સચિવ અને ટેકનિકલ શિક્ષણ કમિશનરને આવેદનપત્ર અપાયું છે. મંડળના જણાવ્યા મુજબ, 32માંથી 31 પોલિટેકનિક સંસ્થાઓ નિયમિત આચાર્ય વિના ચાલી રહી છે અને વર્ગ-1 થી વર્ગ-4 સુધીની અનેક જગ્યાઓ ખાલી છે. ટેકનિકલ શિક્ષણના વિસ્તરણ અને નવી શાખાઓ માટે પૂરતા સ્ટાફની નિમણૂક અત્યંત આવશ્યક હોવાનું મંડળે જણાવ્યું છે.
પોલિટેકનિક કોલેજોના અધ્યાપકો દ્વારા સ્ટાફ અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકારમાં રજૂઆત
તાપીના ગ્રામ્ય વિસ્તારોમાં રૂ. 80 લાખના ખર્ચે 5 નવી એમ્બ્યુલન્સનો પ્રારંભ
તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ સુધારવા માટે મહત્વપૂર્ણ પગલું લેવાયું છે. જિલ્લા સેવા સદનથી જિલ્લા પંચાયત પ્રમુખ ચંચળબેન ચૌધરીએ જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયાની હાજરીમાં રૂ. 80 લાખના ખર્ચે 5 નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ એમ્બ્યુલન્સ 15મા નાણાપંચ (1) અને આયોજન મંડળ (4)ની ગ્રાન્ટમાંથી ખરીદાઈ છે. અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કાર્યરત થવાથી દર્દીઓને સમયસર સારવાર મળશે. પ્રમુખે જણાવ્યું કે, ગ્રામ્ય દર્દીઓ, સગર્ભા અને નવજાત બાળકોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આ મદદરૂપ થશે.