ભરૂચમાં કરોડોના ખર્ચે બનેલો ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક દિવસ પણ ન ચાલ્યો!
ભરૂચમાં કરોડોના ખર્ચે બનેલો ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક દિવસ પણ ન ચાલ્યો!
Published on: 18th July, 2026

ભરૂચના શુકલતીર્થ ગામમાં 2.85 કરોડના ખર્ચે બનેલો ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક દિવસ પણ કાર્યરત થયો નથી. લોહારિયા તળાવના પ્રદૂષણને શુદ્ધ કરવા માટે મંજૂર થયેલો આ પ્લાન્ટ હવે પ્રદૂષણ, મચ્છરો અને દુર્ગંધનો ત્રાસ વધારી રહ્યો છે. મેસર્સ ક્રિષ્ણા કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કરાયેલું કામ બિનકાર્યરત છે અને પ્લાન્ટનું વીજ જોડાણ સ્મશાનના મીટર સાથે જોડી વીજ ચોરીનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. એજન્સી પ્લાન્ટ છોડીને ગાયબ થઈ ગઈ છે, જ્યારે અધિકારીઓ રજા પર છે. ગ્રામજનોના રોષ બાદ હવે તપાસની માંગણી થઈ રહી છે.