મહિસાગરમાં ચોમાસા પહેલાં તૂટેલા ગટરના ઢાંકણા: નબળી કામગીરી સામે રોષ
મહિસાગરમાં ચોમાસા પહેલાં તૂટેલા ગટરના ઢાંકણા: નબળી કામગીરી સામે રોષ
Published on: 29th July, 2026

મહિસાગર જિલ્લાના કોઠંબામાં, એક વર્ષ પહેલાં બનેલી ગટર લાઇનના ઢાંકણા ચોમાસાની શરૂઆત સાથે જ તૂટી ગયા છે. ગાયત્રી મંદિર રોડ પર આવેલી આ ગટરની કામગીરી અત્યંત નબળી ગુણવત્તાની હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. રોડની કામગીરી પણ અધૂરી છોડી દેવાઈ છે, જેના કારણે પાણી ભરાઈ રહે છે. શાળાના બાળકો, વૃદ્ધો અને વાહનચાલકો માટે આ તૂટેલા ઢાંકણા અકસ્માતનું કારણ બની શકે છે. નબળા મટીરીયલ અને અધૂરી કામગીરી સામે લોકોમાં ભારે રોષ છે અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.