છોટાઉદેપુરની આમરોલી પાસે કેનાલ નજીક રેશનિંગનું મીઠું ફેંકાયું.
છોટાઉદેપુરની આમરોલી પાસે કેનાલ નજીક રેશનિંગનું મીઠું ફેંકાયું.
Published on: 28th May, 2026

છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં આમરોલી ગામ નજીક નર્મદાની કેનાલ પાસે સરકારી રેશનિંગનું મીઠું મોટી માત્રામાં ફેંકી દેવાયેલું મળ્યું છે. આ ઘટનાથી આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. તપાસ કરતાં જાણવા મળ્યું કે મીઠું એક્સપાયરી ડેટ વગરનું અને માનવ વપરાશ માટે યોગ્ય હતું. આ બેદરકારી પાછળ કૌભાંડ હોવાની આશંકા સેવાઈ રહી છે. સ્થાનિકોએ પુરવઠા વિભાગ અને કલેક્ટરને જવાબદાર સામે કાર્યવાહીની માંગ કરી છે.