સાબરકાંઠામાં ડાકણના વહેમમાં આધેડ મહિલાની ઘાતકી હત્યા.
સાબરકાંઠામાં ડાકણના વહેમમાં આધેડ મહિલાની ઘાતકી હત્યા.
Published on: 28th May, 2026

સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ગાડી વાકડા ગામે અંધશ્રદ્ધાના કારણે ડાકણના વહેમમાં આધેડ મહિલાની ઘાતકી હત્યા કરવામાં આવી. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે. કેટલાક તત્વોએ મહિલાને 'ડાકણ' માનીને તેના ઘર પર પથ્થરમારો કર્યો અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો. બચાવવા ગયેલા પરિવારના બે સભ્યો પણ ઘાયલ થયા. ચિઠોડા પોલીસે ૪ મહિલાઓ સહિત ૧૨ લોકો સામે હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.