સુરેન્દ્રનગરના વઢવાણના મોતી ચોકમાં ૧૦ મહિનાથી પડેલી પાઇપોથી રહીશો ત્રસ્ત
સુરેન્દ્રનગરના વઢવાણના મોતી ચોકમાં ૧૦ મહિનાથી પડેલી પાઇપોથી રહીશો ત્રસ્ત
Published on: 22nd June, 2026

વઢવાણ શહેરના મોતી ચોક વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. છેલ્લા ૧૦ મહિનાથી સિમેન્ટની મોટી પાઇપો રસ્તાની બાજુમાં બિનવારસી હાલતમાં પડી છે, જેના કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ પાઇપો ઘરના દરવાજા અને રસ્તા પર ખડકાઈ ગઈ હોવાથી અવરજવર મુશ્કેલ બની છે. રાહદારીઓને ચાલવા માટે જગ્યા નથી અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. નાના બાળકો અને વૃદ્ધો માટે અકસ્માતનો ભય રહે છે. રહીશોએ પાઇપો તાત્કાલિક હટાવવાની માંગ કરી છે.