PM મોદીના જનસેવાના ૨૫ વર્ષ
PM મોદીના જનસેવાના ૨૫ વર્ષ
Published on: 10th September, 2026

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષ પૂર્ણ થતા, તેમના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરથી દેશભરમાં એક મહિના માટે 'સેવા સંકલ્પ અભિયાન' યોજાશે. આ અભિયાન દ્વારા PM મોદીની ૨૫ વર્ષની અવિરત જનસેવા સાધનાને ૧૨ માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવશે. 'મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ' અને ગરીબ કલ્યાણ જેવી નીતિઓ સાથે, PM મોદીએ કરોડો ગરીબોને રાશન, ઘરવિહોણાઓને મકાન, ડિજિટલ પેમેન્ટ અને નશામુક્તિ જેવા કાર્યો કર્યા છે. વૈશ્વિક સ્તરે ભારતના બદલાયેલા પ્રભાવ અને ત્રીજી આર્થિક સત્તા તરફની પ્રગતિને આ અભિયાન ઉજાગર કરશે.