છોટાઉદેપુરમાં ગણેશ ચતુર્થીની તૈયારીઓ પુરજોશમાં
છોટાઉદેપુરમાં ગણેશ ચતુર્થીની તૈયારીઓ પુરજોશમાં
Published on: 04th September, 2026

છોટાઉદેપુર જિલ્લામાં ગણેશ ચતુર્થીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ સ્વરૂપોની ગણેશ પ્રતિમાઓ છોટાઉદેપુર નગરમાં વેચાણ માટે ઉપલબ્ધ છે, જે 1 ફૂટથી 7 ફૂટ સુધીની છે અને ₹500 થી ₹15,000 સુધીના ભાવે મળે છે. આયોજકો, બાળકો, યુવાનો અને વૃદ્ધોમાં ભારે ઉત્સાહ છે. ભાદરવી સુદ ચોથ, 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીની ઉજવણી થશે. ડીજેના તાલે પ્રતિમાઓ લાવવાનું આયોજન કરાયું છે. પંડાલોમાં સજાવટ શરૂ થઈ ગઈ છે અને સમગ્ર જિલ્લામાં ભક્તિમય માહોલ છવાશે.