ગુજરાતમાં શિક્ષકોની જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા અને રેલી
જૂની પેન્શન યોજના (OPS) પુનઃ લાગુ કરવા અને TET-TAT પરીક્ષામાંથી મુક્તિની માંગ સાથે ગુજરાતભરના શિક્ષકો આંદોલનના માર્ગે ઉતર્યા છે. અમદાવાદ, પંચમહાલ અને છોટાઉદેપુર સહિત અનેક જિલ્લાઓમાં હજારો શિક્ષકોએ રેલી, ધરણા અને વિરોધ પ્રદર્શન કરીને સરકારને આવેદનપત્ર આપ્યા હતા. શિક્ષકોનો આક્ષેપ છે કે વર્ષોથી તેમના વહીવટી અને આર્થિક હકો અવગણવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા વહેલી તકે હકારાત્મક નિર્ણય નહીં લેવાય તો રાજ્યવ્યાપી કાર્યબહિષ્કાર અને વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.
ગુજરાતમાં શિક્ષકોની જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા અને રેલી
ગુજરાતમાં 'NEET-UG'ની પરીક્ષા માટે ચાંપતો બંદોબસ્ત.
ગુજરાતમાં ૨૧ જૂનના રોજ યોજાનારી NEET-UG મેડિકલ પ્રવેશ પરીક્ષાને પારદર્શક અને ગેરરીતિ મુક્ત રાખવા માટે ગુજરાત પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. DGP જી.એસ. મલિકની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક બાદ IGP મકરંદ ચૌહાણને 'સ્ટેટ નોડલ ઑફિસર' નિયુક્ત કરાયા છે. પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત સાથે આસપાસની ઝેરોક્ષ દુકાનો અને સોશિયલ મીડિયા પર બાજ નજર રખાશે. ૧૯થી ૨૧ જૂન દરમિયાન રાત્રિ પેટ્રોલિંગ સઘન કરાશે. ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ હોવાથી બંને મહત્વપૂર્ણ આયોજનો માટે અલગ-અલગ પોલીસ સ્ટાફ ફાળવીને પૂરતી તકેદારી રાખવા આદેશ અપાયા છે.
ગુજરાતમાં 'NEET-UG'ની પરીક્ષા માટે ચાંપતો બંદોબસ્ત.
અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર હુમલાનો કેસ, 5 આરોપીઓ ઝડપાયા
અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનની હદમાં ઇન્કમટેક્સ બ્રિજ નીચે જીતેન્દ્ર ભરવાડના પુત્ર રાજવીર પર થયેલા જીવલેણ હુમલા અને રાયોટિંગના ગુનામાં પોલીસે તમામ ૫ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, બે મહિના પહેલાં થયેલી માથાકૂટની જૂની અદાવતનો બદલો લેવા આરોપીઓએ ગેરકાયદે મંડળી રચીને યુવક પર સ્ટીલની પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. વાડજ પોલીસે અગાઉ મોહિત પરમાર અને કરણ ચૌહાણની ધરપકડ કરી હતી, જ્યારે હવે બાકીના ફરાર આરોપીઓ હિમાંશુ, સાહિલ અને રવિન્દ્રને પણ ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર હુમલાનો કેસ, 5 આરોપીઓ ઝડપાયા
લિંબાયતમાં નવો રોડ બેસી જતાં ડમ્પર ફસાયું, કલાકો સુધી ટ્રાફિક જામ.
સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના ડિંડોલી વિસ્તારમાં ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ, યોગ્ય પુરાણ કર્યા વિના ઉતાવળે બનાવેલો રસ્તો અચાનક બેસી ગયો હતો. આ કારણે એક ભારેભરખમ ડમ્પર રસ્તામાં ફસાઈ જતાં પીક અવર્સ દરમિયાન કલાકો સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિક રહીશોએ પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને રોડની નબળી ગુણવત્તા પર સવાલો ઉઠાવી મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. ઘટનાની જાણ થતાં પાલિકા તંત્રે ડમ્પર બહાર કાઢી સમારકામ શરૂ કર્યું હતું, પરંતુ બેદરકાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ સાથે જનતામાં ભારે આક્રોશ છે.
લિંબાયતમાં નવો રોડ બેસી જતાં ડમ્પર ફસાયું, કલાકો સુધી ટ્રાફિક જામ.
જામનગરના જામજોધપુરમાં પિતા સામે 3 વર્ષ સુધી પોતાની પુત્રી પર દુષ્કર્મ આચર્યાનો આરોપ!
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના એક ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પિતા સામે પોતાની જ સગીર પુત્રી પર અંદાજે ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યાનો ગંભીર આરોપ છે. પીડિતાએ હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવતા, જામજોધપુર પોલીસે આરોપી પિતા સામે IPC કલમો તેમજ પીડિતા સગીર હોવાથી POCSO અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ દ્વારા આરોપી પિતાની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે.
જામનગરના જામજોધપુરમાં પિતા સામે 3 વર્ષ સુધી પોતાની પુત્રી પર દુષ્કર્મ આચર્યાનો આરોપ!
આવતીકાલથી RTE હેઠળ એડમિશનનો છેલ્લો રાઉન્ડ, 6000થી વધુ બેઠકો હજુ ખાલી
ગુજરાતમાં RTE હેઠળ ધોરણ 1માં વિનામૂલ્યે પ્રવેશ માટેની ચોથી અને અંતિમ રાઉન્ડની પ્રક્રિયા ૧૮ જૂનથી શરૂ થશે. ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા બાદ પણ ૬૦૮૫ બેઠકો ખાલી રહી છે. આ વર્ષે RTE હેઠળ ૯૭૦૦થી વધુ શાળાઓમાં ૮૩૦૦૦થી વધુ બેઠકો ઉપલબ્ધ હતી, જેની સામે ૧.૫૦ લાખથી વધુ વાલીઓની અરજી હતી. વાલીઓની પસંદગી ન હોવાને કારણે ઘણી બેઠકો ખાલી રહેવાની સંભાવના છે. ચોથા રાઉન્ડમાં વાલીઓ ૨૦ જૂન સુધી શાળાઓની પસંદગી કરી શકશે.
આવતીકાલથી RTE હેઠળ એડમિશનનો છેલ્લો રાઉન્ડ, 6000થી વધુ બેઠકો હજુ ખાલી
ગુજરાત હાઇકોર્ટ: શિક્ષકોની ભરતી માટે વૈધાનિક નિયમો ઘડવા સૂચના
ગુજરાત હાઇકોર્ટે રાજ્યભરની આશ્રમ શાળાઓમાં શિક્ષકોની ભરતી અને લાભો અંગે સરકારની નિષ્ક્રિયતા પર નારાજગી વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારને આશ્રમ શાળાના શૈક્ષણિક સ્ટાફની પસંદગી માટે વૈધાનિક નિયમો ઘડવા ત્રણ સપ્તાહનો સમય આપ્યો છે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, સરકારી શાળાઓની જેમ જ યોગ્ય અને લાયક શિક્ષકોની ભરતી થવી જોઈએ. ગેરલાયક શિક્ષકોની ભરતી કરી કોર્ટના આદેશનું પાલન કરવાનો સંતોષ માની શકાય નહીં.
ગુજરાત હાઇકોર્ટ: શિક્ષકોની ભરતી માટે વૈધાનિક નિયમો ઘડવા સૂચના
મુંબઈમાં મોનસૂન મોડું: ગુજરાત માટે ચિંતા, ચોમાસાની ગતિ ધીમી
હવામાન વિભાગે જાહેર કરેલા ચિંતાજનક આંકડા મુજબ, નૈઋત્યનું ચોમાસું પશ્ચિમ દરિયાકાંઠે 8 જૂનથી સ્લો-મોશનમાં છે. બંગાળની ખાડીમાં કોઈ મજબૂત ડિપ્રેશન સક્રિય ન થતાં ચોમાસાની પ્રગતિ અટકી ગઈ છે. છેલ્લા છ દિવસથી તેલંગાણાના ભદ્રાચલમ વિસ્તારમાં સ્થિર રહેલા ચોમાસાને મુંબઈ પહોંચતા હજુ 7-8 દિવસ લાગી શકે છે. જોકે, આગામી 4-5 દિવસમાં તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં ધીમી ગતિએ આગળ વધવાની શક્યતા છે. ગુજરાતમાં પણ ચોમાસાની સત્તાવાર એન્ટ્રીમાં વિલંબ થશે, જ્યારે અમદાવાદમાં અસહ્ય ઉકળાટ યથાવત છે.
મુંબઈમાં મોનસૂન મોડું: ગુજરાત માટે ચિંતા, ચોમાસાની ગતિ ધીમી
ગુજરાતમાં ફેક્ટરી અકસ્માતમાં 121 મોત: ઇન્સ્પેક્શનના નામે 'હપ્તારાજ' જવાબદાર
ગુજરાતમાં ઔદ્યોગિક સલામતીની નિષ્ફળતાને કારણે શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. ઇન્સ્પેક્શનના નામે ચાલતા 'હપ્તારાજ'ને કારણે ફેક્ટરી અકસ્માતોમાં 121 શ્રમિકોના મોત સાથે ગુજરાત દેશમાં ટોચ પર છે. રાજ્યમાં 31,500 ફેક્ટરીઓમાં 16.93 લાખ શ્રમિકો કામ કરી રહ્યા છે. ભ્રષ્ટાચાર અને 'હપ્તારાજ'ને કારણે નિર્દોષ શ્રમિકો ગમખ્વાર દુર્ઘટનાઓનો ભોગ બની રહ્યા છે. અનેક કંપનીઓમાં ફાયર સેફ્ટી અને સુરક્ષાના પૂરતા સાધનોનો અભાવ છે. આ ગંભીર પરિસ્થિતિને રોકવા માટે હવે માત્ર સહાય નહીં, પરંતુ જવાબદારો સામે કડક પગલાં ભરવાની માગ ઉઠી છે.
ગુજરાતમાં ફેક્ટરી અકસ્માતમાં 121 મોત: ઇન્સ્પેક્શનના નામે 'હપ્તારાજ' જવાબદાર
ફરજિયાત TET વિરોધ: શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન, 20 જૂન સુધી ધરણા અને આવેદનપત્ર.
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા TET (Teachers Eligibility Test) પાસ કરવી ફરજિયાત છે. પાંચ વર્ષથી વધુ નોકરી બાકી હોય તો TET પાસ નહિં કરે તો રાજીનામું આપવું પડશે. આ નિર્ણયના વિરોધમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજથી રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરાયું છે. 2010 પહેલા નોકરીમાં જોડાયેલા શિક્ષકોને TETમાંથી બાકાત રાખવાની માંગ સાથે, 33 જિલ્લાઓમાં 17 થી 20 જૂન સુધી કલેકટર કચેરી ખાતે ધરણા અને આવેદનપત્ર આપવામાં આવશે.
ફરજિયાત TET વિરોધ: શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન, 20 જૂન સુધી ધરણા અને આવેદનપત્ર.
ડીગ્રી એન્જિનિયરિંગ મોક રાઉન્ડ: 10 વર્ષમાં પ્રથમવાર સરકારી-અનુદાનિત કોલેજોની તમામ બેઠકો ભરાઈ.
ડીગ્રી એન્જિનિયરિંગના મોક રાઉન્ડની ફાળવણી ACPC દ્વારા જાહેર કરાઈ છે. 61 હજારથી વધુ બેઠકો સામે 32 હજારથી વધુ વિદ્યાર્થીઓને ફાળવણી મળી છે. છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર સરકારી અને અનુદાનિત કોલેજોની 10,957 બેઠકો મોક રાઉન્ડમાં જ ભરાઈ ગઈ છે. વિદ્યાર્થીઓ 22 જૂન સુધી ચોઈસમાં ફેરફાર કરી શકશે, જ્યારે પ્રથમ રાઉન્ડની ફાળવણી 25 જૂને જાહેર થશે. સ્વનિર્ભર સંસ્થાઓમાં 47,747માંથી 20,540 બેઠકો ભરાઈ છે, જે સરકારી અને અનુદાનિત કોલેજો પ્રત્યે વિદ્યાર્થીઓના વધતા આકર્ષણને દર્શાવે છે.
ડીગ્રી એન્જિનિયરિંગ મોક રાઉન્ડ: 10 વર્ષમાં પ્રથમવાર સરકારી-અનુદાનિત કોલેજોની તમામ બેઠકો ભરાઈ.
કાનજી દ્વારકાદાસ: ગાંધી-યુગ પહેલાના મહાન ગુજરાતી નેતા.
કાનજી દ્વારકાદાસ, જે રાષ્ટ્રીય રાજકારણના તેજસ્વી નેતા હતા, તેમણે દેશ-વિદેશમાં સન્માન મેળવ્યું. પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં તેમના દસ્તાવેજો જાળવવામાં આવ્યા છે. તેમણે ભારતની સ્વાતંત્ર્ય રાજનીતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, જે તેમના પત્રો અને પુસ્તકોમાં પ્રતિબિંબિત થાય છે. 19મી સદીના અંત અને 20મી સદીની શરૂઆતમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની ઝાંખી તેમના કાર્યો દ્વારા મળે છે. તેઓ ઘણા મહાનુભાવો સાથે ગાઢ સંપર્કમાં હતા અને તેમણે ક્યારેય નેતાગીરીની લાલસા રાખી નહીં, પરંતુ સક્રિયપણે સ્વાધીન ભારત માટે કાર્ય કર્યું.
કાનજી દ્વારકાદાસ: ગાંધી-યુગ પહેલાના મહાન ગુજરાતી નેતા.
મૃતક મહિલાના નામે કરોડોની જમીન હડપવાનો ગજબનો કિસ્સો.
અંબાજી નજીક કરોડોની જમીન હડપવાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. જેમાં મૃતક મહિલાને કાગળ પર "જીવતી" દર્શાવી, કલેક્ટર ઓફિસે બોલાવી, દસ્તાવેજો પર અંગૂઠા મરાવી 15 લાખ રૂપિયા બેંક ખાતામાં જમા કરાવી ઉપાડી લેવાયા. આદિવાસીઓની જમીન 73AA કલમ હેઠળ આવતી હોવા છતાં, સરકારી તંત્રની મિલિભગતથી આ કૌભાંડ આચરવામાં આવ્યું. મૃત્યુના મહિનાઓ પછી મૃતક મહિલાની હાજરી દર્શાવી, ખોટા દસ્તાવેજો તૈયાર કરાયા. હવે આ મામલે તલાટીએ રેકોર્ડમાં છેડછાડની કબૂલાત કરતા પોલીસ ફરિયાદની તજવીજ શરૂ કરાઈ છે.
મૃતક મહિલાના નામે કરોડોની જમીન હડપવાનો ગજબનો કિસ્સો.
પ્રિન્સિપાલે શિક્ષિકા પત્નીને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી.
ચલોડા ગામના પ્રિન્સિપાલ બળદેવે પોતાની શિક્ષિકા પત્ની રીનાબેનની શંકા અને આંતરિક ઝઘડાને કારણે પથ્થરના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી હતી. ગુનાના પુરાવા નાશ કરવા માટે તેણે એક્ટિવામાંથી પેટ્રોલ કાઢી લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો અને કપડાં બદલી નાખ્યા. જોકે, અધકચરી બળેલી લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. બળદેવના જૂઠાણાનો ભાંડો તેના મોબાઈલ લોકેશન, સીડીઆર (CDR) રિપોર્ટ અને શરીર પરના ઉઝરડાના નિશાનોએ ફોડી નાખ્યો. અદાલતી રિમાન્ડ દરમિયાન પ્રિન્સિપાલે પોતાનો ગુનો કબૂલ કર્યો, જેના લીધે પિતા જેલમાં ગયા અને બે માસૂમ બાળકોએ માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવી દીધી.
પ્રિન્સિપાલે શિક્ષિકા પત્નીને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી.
વડુની શાળામાં વીજ સલામતી અને સ્માર્ટ મીટર વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
માસર રોડ સ્થિત મહાલક્ષ્મી નગીનદાસ વિદ્યાલયમાં MGVCL જાંબુવા વિભાગીય કચેરી દ્વારા વીજ સલામતી, વીજ ઊર્જા બચત, વીજચોરી નિવારણ અને સ્માર્ટ મીટર અંગે વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વીજળીના સલામત ઉપયોગ, અકસ્માતોથી બચવાના ઉપાયો, ઊર્જા બચતનું મહત્વ અને વીજચોરીના દુષ્પરિણામો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ, સ્માર્ટ મીટરના ઉપયોગ અને બિલિંગમાં પારદર્શિતા વિશે પણ માહિતી અપાઈ.
વડુની શાળામાં વીજ સલામતી અને સ્માર્ટ મીટર વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
ડભોઇ શિનોર ચોકડી પર અકસ્માત નિયંત્રણ માટે પોલીસ દ્વારા સઘન વાહનચેકિંગ
માર્ગ અકસ્માતો ઘટાડવા અને ટ્રાફ્કિ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાના હેતુથી, ડભોઇના શિનોર ચોકડી ખાતે ડીવાયએસપી આકાશ પટેલ અને પી.આઈ. એ.ટી. પટેલના માર્ગદર્શન હેઠળ સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું. આ ઝુંબેશમાં વાહનોના દસ્તાવેજો, નિયમોનું પાલન અને કાયદેસરતા ચકાસવામાં આવી. ખાસ કરીને કાળા કાચ (ટીન્ટેડ ગ્લાસ) ધરાવતી ગાડીઓ સામે કાર્યવાહી કરી ફ્લ્મિ દૂર કરાવાઈ. દસ્તાવેજોના અભાવે 3 મોટરસાઇકલ જપ્ત કરાઈ અને 5થી વધુ બાઈક ચાલકો પાસેથી દંડ વસૂલાયો, જેનાથી વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો.
ડભોઇ શિનોર ચોકડી પર અકસ્માત નિયંત્રણ માટે પોલીસ દ્વારા સઘન વાહનચેકિંગ
પાદરા બાર એસોસિએશન દ્વારા કોર્ટ સ્થળાંતરનો ઉગ્ર વિરોધ
પાદરા સિવિલ કોર્ટને સ્થાનિક બાર એસોસિએશનને વિશ્વાસમાં લીધા વિના સ્થળાંતરિત કરવાના નિર્ણય સામે વકીલોમાં ભારે રોષ છે. પાદરા બાર એસોસિએશને ડિસ્ટ્રિક્ટ જજને લેખિત રજૂઆત કરીને આ નિર્ણય પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી છે. એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે, કોર્ટ માત્ર સરકારી ઇમારત નથી, પણ ન્યાયિક પરંપરાનું કેન્દ્ર છે. આર એન્ડ બી વિભાગના સ્ટેબિલિટી રિપોર્ટના આધારે આ નિર્ણય લેવાયો છે, જે સરકારના દબાણ હેઠળ કરાયો હોવાનો દાવો છે. પસંદ કરાયેલી ઝંડા શાળાના બિલ્ડિંગના રિપોર્ટમાં નુકસાન દર્શાવાયું છે, જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ નિર્ણયથી શિક્ષણ, ન્યાયિક કામગીરી, ટ્રાફિક, સુરક્ષા અને જાહેર વ્યવસ્થાના પ્રશ્નો ઊભા થઈ શકે છે.
પાદરા બાર એસોસિએશન દ્વારા કોર્ટ સ્થળાંતરનો ઉગ્ર વિરોધ
નસવાડીમાં વીજ સમસ્યા: ચોમાસામાં ખેડૂતોને પિયત માટે અસુવિધા.
ચોમાસાની સીઝનમાં નસવાડી તાલુકાના ખેડૂતો મોટા પાયે વાવેતર કરી રહ્યા છે. વરસાદ ખેંચાવાને કારણે ઘણા ખેડૂતો પાસે પિયતની વ્યવસ્થા હોવા છતાં, વીજ પુરવઠો વારંવાર ખોટકાવવાથી તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. કોઈપણ પૂર્વ સૂચના વિના થતા આડેધડ પાવર કટને કારણે, જે કામ બે દિવસમાં થવું જોઈએ તે અઠવાડિયા કરતાં વધુ સમય લઈ રહ્યું છે. આ કારણે પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક આગેવાને આ અંગે અગાઉ રજૂઆત કરી હોવા છતાં પરિણામ ન આવતાં, હવે ધારાસભ્યને મદદ માટે અપીલ કરાઈ છે.
નસવાડીમાં વીજ સમસ્યા: ચોમાસામાં ખેડૂતોને પિયત માટે અસુવિધા.
પંચમહાલ HTAT મુખ્ય શિક્ષક સંઘની ચિંતન શિબિર અને સંમેલન ગોધરામાં યોજાયું.
પંચમહાલ જિલ્લા મુખ્યશિક્ષક HTAT સંઘ (સૂચિત)ની ચિંતન શિબિર અને સંમેલન ગોધરા ખાતે યોજાયું, જેમાં રાજ્ય પ્રમુખ અપૂર્વભાઈ શ્રીમાળીના અધ્યક્ષ સ્થાને જિલ્લાના મુખ્ય શિક્ષકો હાજર રહ્યા. આ સંમેલનમાં નિવૃત થતાં HTAT મુખ્ય શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. રાજ્ય કક્ષાએ ચાલતી HTAT સંગઠનની માહિતી, 2012ની ભરતીથી થયેલા ફેરફારો, કેડરના લાભ-ગેરલાભ, અને સંગઠિત રહેવાની હાકલ કરાઈ. ચાર્જ સોંપવા, સેવા સળંગના હુકમો, અને વહીવટી બાબતોની ચર્ચા થઈ.
પંચમહાલ HTAT મુખ્ય શિક્ષક સંઘની ચિંતન શિબિર અને સંમેલન ગોધરામાં યોજાયું.
પંચમહાલમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના કાર્યકાળની ઉજવણી નિમિત્તે મહીસાગર જિલ્લાના મોટા ખાનપુર ખાતે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત જન કલ્યાણ શિબિરમાં છેલ્લા ૧૨ વર્ષના ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, ખેડૂત હિત, માળખાગત સુવિધાઓ અને આરોગ્ય ક્ષેત્રે થયેલા વિકાસ કાર્યોની વિસ્તૃત માહિતી અપાઈ. આરોગ્ય, પંચાયત, ખેતીવાડી, સમાજ કલ્યાણ વિભાગોના સ્ટોલ્સ પર આયુષ્માન ભારત, પીએમ કિસાન, પ્રધાનમંત્રી આવાસ, પીએમ સ્વનિધિ અને ઉજ્જવલા જેવી યોજનાઓના લાભાર્થીઓને સ્થળ પર જ યોજનાકીય લાભો એનાયત કરાયા.
પંચમહાલમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન
ડીસા: ખેડૂત યુવકને હનીટ્રેપમાં ફસાવનાર યુવતી રાજસ્થાનથી ઝડપાઈ.
ડીસા તાલુકાના એક ખેડૂત યુવકને ફોન મેસેજ દ્વારા સંપર્ક કરી, પાલનપુર બોલાવી હનીટ્રેપમાં ફસાવી રૂ. 54,000 પડાવનાર ગેંગના સભ્યો ઝડપાયા બાદ, પોલીસે કિરણ નામની યુવતીની રાજસ્થાનના ગંગાનગરથી ધરપકડ કરી છે. યુવતીએ યુવકને મળવા બોલાવી, બાદમાં અન્ય ઈસમો સાથે મળી અપહરણ કરી પૈસા પડાવી લીધા હતા. આ કેસમાં અગાઉ 4 આરોપીઓને ઝડપી લેવાયા હતા. પોલીસે હવે ફરાર પૂજા નામની યુવતીની શોધખોળ શરૂ કરી છે.
ડીસા: ખેડૂત યુવકને હનીટ્રેપમાં ફસાવનાર યુવતી રાજસ્થાનથી ઝડપાઈ.
લુણાવાડા APMC: ભાનુપ્રસાદ ચેરમેન અને ડાહ્યાભાઈ વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા.
લુણાવાડા ખરીદ વેચાણ ઉત્પન્ન બજાર સમિતિ (APMC)માં ચેરમેન પદે ભાનુપ્રસાદ કાળીદાસ પટેલ અને વાઇસ ચેરમેન પદે ડાહ્યાભાઈ રણછોડભાઈ પગી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. તેમની સામે અન્ય કોઈ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી ન હોવાથી આ પરિણામ આવ્યું હતું. આ વિજય બાદ બંને નવનિયુક્ત પદાધિકારીઓને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. નવા નેતૃત્વ હેઠળ લુણાવાડા APMC ખેડૂતો અને વેપારીઓના હિતમાં કાર્ય કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે. આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં સંગઠનના હોદ્દેદારોનું સન્માન કરાયું હતું.
લુણાવાડા APMC: ભાનુપ્રસાદ ચેરમેન અને ડાહ્યાભાઈ વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા.
લાખણીમાં હાઈવે પર ગટરલાઈનની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
લાખણી બજારમાંથી પસાર થતા હાઈવે રોડ અને ગટર લાઇનની હલકી ગુણવત્તાવાળી કામગીરી અંગે મીડિયામાં અહેવાલો આવ્યા બાદ, કોન્ટ્રાક્ટર દ્વારા સિમેન્ટ લગાવીને અને પાણીનો છંટકાવ કર્યા વિના માટી નાખીને ગેરરીતિ છુપાવવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે જવાબદાર તંત્ર અને અધિકારીઓની મિલીભગતને કારણે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાને બદલે ખામીઓ ઢાંકવામાં આવી રહી છે. ગ્રામજનોમાં વ્યાપેલા આ ભારે રોષની જો નિષ્પક્ષ તપાસ કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં શાસક પક્ષ ભાજપને મોટું રાજકીય નુકસાન ભોગવવું પડી શકે છે.
લાખણીમાં હાઈવે પર ગટરલાઈનની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
દાહોદ: સોમવતી અમાસે ત્રિવેણી સંગમે સ્નાન કરવા શ્રદ્ધાળુઓનો જનમેદની
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામ ખાતે આવેલા ત્રિવેણી સંગમ પર અધિક માસની સોમવતી અમાવાસ્યા નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્નાન કરવા ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ આસપાસના વિસ્તારોમાંથી લોકો ત્રિવેણી સંગમ ખાતે પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓએ પવિત્ર જળમાં સ્નાન કરી શ્રી ત્રિલોકેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી. સમગ્ર દિવસ દરમિયાન ભક્તોની ભારે ભીડ રહી અને જયઘોષ ગુંજતા રહ્યા.
દાહોદ: સોમવતી અમાસે ત્રિવેણી સંગમે સ્નાન કરવા શ્રદ્ધાળુઓનો જનમેદની
આણંદ ખાતે ઝાયડ્સ હોસ્પિટલમાં HR સમિટ યોજાઈ.
ઝાયડસ હોસ્પિટલ, આણંદ અને HR Shapers દ્વારા આયોજિત Anand HR Summit & HR Leadership Awards Gatheringમાં 150થી વધુ HR પ્રોફેશનલ્સ, ઇન્ડસ્ટ્રી લીડર્સ અને 50થી વધુ કંપનીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો. કાર્યક્રમની મુખ્ય થીમ Talent Acquisition & Retention-Challenges & Way Forward હતી, જેમાં પ્રતિભાશાળી કર્મચારીઓ મેળવવા અને તેમને જાળવી રાખવાના પડકારો પર વિસ્તૃત ચર્ચા થઈ. ડૉ. પ્રિયાંક પટેલે Talent Wellness પર માર્ગદર્શન આપ્યું, જ્યારે પેનલ ડિસ્કશનમાં HR ક્ષેત્રના અગ્રણીઓએ વિચારો રજૂ કર્યા.
આણંદ ખાતે ઝાયડ્સ હોસ્પિટલમાં HR સમિટ યોજાઈ.
પંચમહાલ જનકલ્યાણ શિબિરમાં નિરાધાર દીકરીઓને મળ્યો જાતિનો દાખલો.
પંચમહાલ જિલ્લામાં ચાલી રહેલી જન કલ્યાણ શિબિરમાં કાલોલ તાલુકાના અલવા ગામે બે નિરાધાર જુડવા બહેનો, રીટા અને રીયા રતિભાઈ બારીયા, ને તાત્કાલિક જાતિનો દાખલો આપવામાં આવ્યો. માતાપિતા વિહોણી અને પેઢીનામાના અભાવે અભ્યાસમાં અડચણ અનુભવતી આ બહેનોને તંત્ર દ્વારા સ્થળ પર જ બક્ષીપંચનો દાખલો કાઢી આપતા હવે તેમને માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ તથા મેરીટ ક્વોટાનો લાભ મળશે. આ ઘટના જન કલ્યાણ શિબિરના સફળ આયોજનનું ઉત્તમ ઉદાહરણ છે.
પંચમહાલ જનકલ્યાણ શિબિરમાં નિરાધાર દીકરીઓને મળ્યો જાતિનો દાખલો.
આણંદ: ગંભીરા મહી નદી પટમાં ગેરકાયદે ખનન.
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા અને બામણગામ વિસ્તારમાં મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની ટીમે મોટી કાર્યવાહી કરી છે. વહેલી સવારે મહી નદીના કિનારે હાથ ધરાયેલી તપાસમાં સાદી રેતીનું ગેરકાયદેસર ખનન થતું મળી આવ્યું હતું. આ ગેરકાયદે પ્રવૃત્તિમાં વપરાતા એક એક્સેવેટર મશીન અને બે નાવડીઓ સહિત કુલ રૂ. 53 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખનિજ ચોરીના આ કિસ્સામાં કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આણંદ: ગંભીરા મહી નદી પટમાં ગેરકાયદે ખનન.
સિમલિયા કૉલેજના સેવક ગોકળભાઈ પ્રજાપતિનો નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો
ઘોઘંબા તાલુકાના સિમલિયા સ્થિત એસ. પી. પટેલ આર્ટ્સ કોલેજમાં વર્ષ 1993 થી સેવારત ગોકળભાઈ ભીખાભાઇ પ્રજાપતિનો વિદાય સમારોહ યોજાયો. 33 વર્ષની નિષ્ઠાવાન સેવા બાદ તેમને સન્માનિત કરાયા. મંડળના પ્રમુખ નટવરસિંહ ચૌહાણ અધ્યક્ષ સ્થાને રહ્યા, જ્યારે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. કોલેજનો સ્ટાફ, વિદ્યાર્થીઓ અને પરિવારજનોએ ગોકળભાઈની સેવાને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી.
સિમલિયા કૉલેજના સેવક ગોકળભાઈ પ્રજાપતિનો નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો
ખેડા: ઠગાઈ કેસના ગુનાનો આરોપી 1,800 કિ.મી.દૂરથી પકડાયો.
ખેડા એલસીબી પોલીસે નડિયાદમાં વિદેશના વિઝા અપાવવાના નામે છેતરપિંડી કરી છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા ગુનેગાર ભરત શાંતિલાલ મોઢ (મૂળ પોરબંદર)ને ઝડપી પાડ્યો છે. કોર્ટના વોરંટ છતાં પોલીસને ચકમો આપતા આ આરોપીનો કોન્ટેક્ટ નંબર અને સીડીઆર (CDR) મેળવી પોલીસે તપાસ હાથ ધરી હતી. આખરે પોલીસે ૧૮૦૦ કિલોમીટર દૂર ઓડિસાના બાલાસોર જિલ્લાના બલરામગડીથી તેને શોધી કાઢ્યો હતો, જ્યાં તે એક કંપનીમાં નોકરી કરતો હતો. એલસીબી પોલીસે સ્થાનિક કોર્ટમાંથી ૭૨ કલાકના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવી આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે નડિયાદ લાવવાની તજવીજ હાથ ધરી છે.
ખેડા: ઠગાઈ કેસના ગુનાનો આરોપી 1,800 કિ.મી.દૂરથી પકડાયો.
પાટણમાં અઘારા દરવાજા પાસે પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈન તૂટી.
પાટણ શહેરમાં પાણીની પાઈપલાઈન લીકેજ થવાની ઘટનાઓ વારંવાર બની રહી છે, જેના કારણે હજારો લિટર શુદ્ધ પાણીનો બગાડ થાય છે. એક તરફ, ઘણા ઘરો સુધી પૂરતું પીવાનું પાણી પહોંચતું નથી, જ્યારે બીજી તરફ, પાઈપલાઈન તૂટવાથી પાણીનો વ્યય થતાં લોકોમાં ભારે રોષ જોવા મળે છે. હાલમાં, અઘારા દરવાજા પાસે પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈન તૂટવાથી પાણી રોડ પર રેલાયું અને મોટા પ્રમાણમાં પાણી વેડફાયું. વોર્ડ નં 2 માં પણ આવી જ સમસ્યા સર્જાતા રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા.
પાટણમાં અઘારા દરવાજા પાસે પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈન તૂટી.
અધિક કલેક્ટરે પંચમહાલ ખાતે વિવિધ સરકારી કચેરીઓની કરી મુલાકાત.
મહીસાગર જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર સી.વી. લટાએ વહીવટી કાર્યક્ષમતા અને પારદર્શિતા વધારવાના હેતુથી પંચમહાલ કલેક્ટર કચેરીની વિવિધ શાખાઓની આકસ્મિક મુલાકાત લીધી. તેમણે સ્ટાફને સ્વચ્છતા, રેકોર્ડનું વર્ગીકરણ અને વહીવટી શિસ્ત જાળવવા સૂચના આપી. અરજદારોને હાલાકી ન પડે અને તેમની અરજીઓનો ઝડપી નિકાલ થાય તે માટે સંવેદનશીલ અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો. સરકાર દ્વારા નિર્ધારિત સમય મુજબ હાજરી, અવર-જવર રજિસ્ટરમાં નોંધ અને જનતાની સેવાને પ્રાધાન્ય આપવાની તાકીદ કરી.