સાતમ-આઠમ તહેવારોમાં કાર્ડિયાક ઈમરજન્સી કેસોમાં ૧૦% નો વધારો
સાતમ-આઠમ તહેવારોમાં કાર્ડિયાક ઈમરજન્સી કેસોમાં ૧૦% નો વધારો
Published on: 09th September, 2026

સાતમ-આઠમ જેવા તહેવારો દરમિયાન લોકો ખોરાક અને હરવા-ફરવામાં વધુ ધ્યાન આપે છે, પરંતુ આ મોસમે હૃદયરોગ સંબંધિત ઈમરજન્સી કેસોમાં ૧૦ ટકાનો વધારો નોંધાયો છે. ૧લી થી ૭મી ઓગસ્ટ દરમિયાન ૨૩૯૦ કાર્ડિયાક કેસો નોંધાયા, જ્યારે ૨૫મી થી ૩૧મી ઓગસ્ટ દરમિયાન ૨૧૭૩ કેસો હતા. ગુજરાતમાં હૃદયરોગના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે; ૨૦૨૩માં ૭૨,૫૭૩ કેસો હતા જે ૨૦૨૫માં વધીને ૯૮,૫૮૨ થયા. આ દર્શાવે છે કે માત્ર બે વર્ષમાં ૩૫.૮૩% નો વધારો થયો છે.