ભરૂચના નાગરિકોએ યોગ દ્વારા સ્વસ્થ જીવન અપનાવ્યું
ભરૂચના નાગરિકોએ યોગ દ્વારા સ્વસ્થ જીવન અપનાવ્યું
Published on: 22nd June, 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ ખાતે "યોગા ફોર હેલ્ધી એજિંગ" થીમ પર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્ર્રીની અધ્યક્ષતામાં, જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણે, DDO યોગેશ કાપસે, SP અક્ષયરાજ મકવાણા સહિત અનેક અધિકારીઓની હાજરીમાં, મોટી સંખ્યામાં યોગ સાધકોએ યોગ અભ્યાસ કર્યો. ધારાસભ્યશ્રીએ યોગને શરીર, મન અને ચેતનાને જોડતી કળા ગણાવી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકોએ નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગ કરાવ્યો. ઉપસ્થિતોએ PM મોદીનું યોગદિન પર લાઈવ પ્રસારણ પણ નિહાળ્યું.