જામનગરની જી.જી. હોસ્પિ.માં ઓર્થોપેડિક ઓપીડી વિભાગનું સ્થળાંતર
જામનગરની જી.જી. હોસ્પિ.માં ઓર્થોપેડિક ઓપીડી વિભાગનું સ્થળાંતર
Published on: 01st September, 2026

જામનગરની જી.જી. હોસ્પિટલમાં દર્દીઓને ઝડપી અને સુવિધાજનક સેવાઓ મળી રહે તે હેતુથી ઓર્થોપેડિક (હાડકાં) વિભાગની ઓ.પી.ડી.નું સ્થળાંતર જૂની કોલેજ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કરવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થા દર્દીઓની વધતી ભીડને નિયંત્રિત કરવા અને સેવાઓનું સુદ્રઢીકરણ કરવા માટે છે. દર્દીઓને લાંબી લાઈનોમાંથી મુક્તિ અપાવવા કેશબારી અને દવાબારીની સંખ્યામાં પણ વધારો કરાયો છે. ઓર્થોપેડિક ઓ.પી.ડી. સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી કાર્યરત રહેશે. સ્કિન, માનસિક અને કેન્સર ઓ.પી.ડી.ની કેશબારી 700 પથારી બિલ્ડીંગમાં ખસેડાઈ છે. ઈ.એન.ટી. અને આંખ વિભાગની કેશબારી તથા દવાબારી જૂની ઓ.પી.ડી. બિલ્ડીંગના પહેલા માળે રહેશે.