પાક નુકસાની, દેવું-વ્યાજ માફી, મફત ઘાસચારો, રાહત પેકેજ અને વીજબીલ માફીની માંગ
પાક નુકસાની, દેવું-વ્યાજ માફી, મફત ઘાસચારો, રાહત પેકેજ અને વીજબીલ માફીની માંગ
Published on: 01st September, 2026

પોરબંદર જિલ્લામાં વરસાદની અનિયમિતતા અને પાક નુકસાનીથી ખેડૂતો અને પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ પરિસ્થિતિને પગલે, પોરબંદર જિલ્લાના ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક રાહત પગલાં ભરવાની માંગ કરી છે. આવેદનમાં જણાવ્યું છે કે અનિયમિત વરસાદને કારણે ઊભા પાકને મોટો ફટકો પડ્યો છે અને ઘાસચારાની તંગી સર્જાઈ છે. ખેડૂતો અને માલધારીઓની દયનીય આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, સંપૂર્ણ દેવું અને વ્યાજ માફી, વિનામૂલ્યે ઘાસચારો, વિશેષ રાહત પેકેજ અને ખેતીવાડી વપરાશના તમામ વીજબીલ માફ કરવાની માંગ કરવામાં આવી છે.