અશક્ત શરીર છતાં જૂનાગઢના સાધુએ ૧૯ વાર કરી અમરનાથ યાત્રા
અશક્ત શરીર છતાં જૂનાગઢના સાધુએ ૧૯ વાર કરી અમરનાથ યાત્રા
Published on: 20th July, 2026

જૂનાગઢના એક સાધુએ અશક્યને શક્ય કરી બતાવ્યું છે. માત્ર ૧૪ વર્ષની ઉંમરે સંન્યાસ દીક્ષા લીધા બાદ, કમરથી નીચેનું શરીર અશક્ત બનવા છતાં, તેમણે ૧૯ વખત દુર્ગમ અમરનાથ યાત્રા પૂર્ણ કરી બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. આ દરમિયાન, તેમણે ૭ શક્તિપીઠોમાં હવન અને માતાજીની આરાધના કરી. ૫ ઓપરેશન કરાવ્યા હોવા છતાં, તેમણે હિંમત હાર્યા વિના યાત્રા કરવાનો નિર્ધાર કર્યો હતો. હાલ તેઓ ભવનાથ સ્થિત શનિદેવ મંદિરમાં મહંત તરીકે સેવા આપી રહ્યા છે.