એર ઈન્ડિયાના ગ્રુપના તમામ પાઈલટોનું ફરજિયાત ડ્રગ સ્ક્રિનિંગ
એર ઈન્ડિયાના ગ્રુપના તમામ પાઈલટોનું ફરજિયાત ડ્રગ સ્ક્રિનિંગ
Published on: 13th August, 2026

'ગાંજા કાંડ' બાદ એર ઈન્ડિયાએ પોતાના ગ્રુપના તમામ પાઈલટોના ફરજિયાત ડ્રગ સ્ક્રિનિંગનો આદેશ આપ્યો છે. આ સ્ક્રિનિંગ ટ્રેનિંગ અને ઉડાન બાદ ગુરુગ્રામ એકેડેમી, ફ્લાઈટ બ્રીફિંગ સેન્ટર અને બેઝ લોકેશન પર હાથ ધરાશે. DGCAના નિયમોનું પાલન કરવાની સાથે, સુરક્ષા માટે કંપની એક ડગલું આગળ વધી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને એર ઈન્ડિયા પર લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનો છે. તાજેતરમાં દિલ્હી-ફુકેત ફ્લાઈટમાં પાઈલટના કથિત ડ્રગ સેવનને કારણે થયેલી ઘટના બાદ આ પગલું લેવાયું છે.