અફઘાનિસ્તાન સામે ટી20 સિરીઝ રમશે શ્રેયસ ઐયરની ટીમ
અફઘાનિસ્તાન સામે ટી20 સિરીઝ રમશે શ્રેયસ ઐયરની ટીમ
Published on: 13th August, 2026

શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ 13 થી 17 સપ્ટેમ્બર દરમિયાન દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ટી20 સિરીઝ રમશે. આ કારણે બાંગ્લાદેશની લાંબા સમયથી પડતર ટી20 સિરીઝ યોજવાની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. BCCI અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે સંયુક્ત નિવેદનમાં આ જાહેરાત કરી, જે બાંગ્લાદેશની પ્રસ્તાવિત યોજનાઓ સાથે ટકરાય છે. અફઘાનિસ્તાનમાં રાજકીય અસ્થિરતાને કારણે તેમની મેચો ભારતમાં રમાઈ રહી છે. આ સિરીઝ અરૂણ જેટલી સ્ટેડિયમમાં યોજાશે.