દેશમાં નોકરીઓ ઘટી કે વધી? સાંખ્યાકીય મંત્રાલયે જાહેર કર્યા બેરોજગારીના આંકડા
દેશમાં નોકરીઓ ઘટી કે વધી? સાંખ્યાકીય મંત્રાલયે જાહેર કર્યા બેરોજગારીના આંકડા
Published on: 10th August, 2026

ભારતના જોબ માર્કેટમાં છેલ્લા એક વર્ષમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. સાંખ્યાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર થયેલા નવા આંકડા મુજબ, ચાલુ નાણાકીય વર્ષની એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતનો બેરોજગારી દર 5.5% રહ્યો છે, જે એક વર્ષ પહેલા 5.6% હતો. આ મામૂલી ઘટાડો દર્શાવે છે. શહેરી વિસ્તારોમાં પણ જોબ માર્કેટની સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર રહી છે, જ્યાં નોકરીની નવી તકોમાં ન તો ઘટાડો થયો છે અને ન તો વધારો. કામકાજી વસ્તીનું પ્રમાણ પણ લગભગ જળવાઈ રહ્યું છે.