15મી ઓગસ્ટે લાલ કિલ્લા પર રાહુલ ગાંધીની બેઠક વ્યવસ્થા અંગે સરકારે કરી સ્પષ્ટતા
15મી ઓગસ્ટે લાલ કિલ્લા પર રાહુલ ગાંધીની બેઠક વ્યવસ્થા અંગે સરકારે કરી સ્પષ્ટતા
Published on: 10th August, 2026

15 ઓગસ્ટે લાલ કિલ્લા પર યોજાનારા સ્વાતંત્ર્ય દિન સમારોહમાં લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીની બેઠક વ્યવસ્થાને લઈને સરકારે સ્પષ્ટતા કરી છે. તેમને સરકારી વરિષ્ઠતા ક્રમ મુજબ કેન્દ્રીય મંત્રીમંડળના મંત્રીઓની ઠીક પાછળ બેસાડવામાં આવશે. પ્રોટોકોલ મુજબ આ નિર્ણય લેવાયો છે. આ સ્પષ્ટતા ગત વર્ષના સમારોહમાં રાહુલ ગાંધીને પાંચમી હરોળમાં બેસાડવા સામે થયેલા વિવાદ બાદ આવી છે, જેને કોંગ્રેસે અપમાન ગણાવ્યું હતું. આ વર્ષે સમારોહ ‘યુવા શક્તિ’ અને ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્રિત રહેશે.