આપમાંથી ભાજપમાં ગયેલા સાંસદો ભયભીત.
આપમાંથી ભાજપમાં ગયેલા સાંસદો ભયભીત.
Published on: 03rd May, 2026

આપમાંથી ભાજપમાં ગયેલા ૭ સાંસદોમાંથી ૬ સાંસદો પંજાબના છે. હવે સ્વાભાવીક રીતે બને છે એમ એમના પ્રત્યે રાજકીય કિન્નાખોરી રાખીને પંજાબ સરકાર એમને યેનકેન પ્રકારે હેરાન કરે છે. સાંસદ સંદીપ પાઠક સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. એફઆઇઆરમાં કેટલીક કલમો બીનજામીન પાત્ર છે. એમને પકડવા પંજાબ પોલીસ દિલ્હી પણ પહોંચી હતી. એજ રીતે ભૂતપૂર્વ ક્રિકેટર અને સાંસદ હરભજન સિંહની સિક્યુરીટી પંજાબ સરકારે પાછી ખેંચી લીધી છે.