PM આવાસ પાસે રાહુલ-ખડગે, કેજરીવાલ સહિત અનેક નેતાઓનું ધરણા પ્રદર્શન
PM આવાસ પાસે રાહુલ-ખડગે, કેજરીવાલ સહિત અનેક નેતાઓનું ધરણા પ્રદર્શન
Published on: 21st July, 2026

દિલ્હીમાં પેપર લીક અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં કોંગ્રેસના નેતાઓ PM આવાસ નજીક ધરણા પર બેઠા. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી, અરવિંદ કેજરીવાલ, શરદ પવાર સહિત અનેક વિપક્ષી નેતાઓએ PM, ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી. કોંગ્રેસ સાંસદોએ PM આવાસ સુધી પેદલ માર્ચ કાઢી. વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ બળપ્રયોગ અને લાઠીચાર્જ બાદ ઘાયલ વિદ્યાર્થીઓની હોસ્પિટલમાં મુલાકાત લેવાઈ. પોલીસે અનેક કોંગ્રેસ નેતાઓની અટકાયત કરી.