FASTagના નામે છેતરપિંડી, 'એન્યુઅલ પાસ' લેતાં પહેલા સાવધાન, NHAIએ જાહેર કરી એડવાઇઝરી
નેશનલ હાઇવે ઑથોરિટી ઓફ ઇન્ડિયા(NHAI)એ FASTag એન્યુઅલ પાસના નામે ચાલી રહેલા એક મોટા ફ્રોડ અંગે જાહેર જનતાને ચેતવણી આપી છે. આ કૌભાંડમાં ઠગ અસલી જેવી જ દેખાતી નકલી વેબસાઇટ્સ બનાવીને લોકોને છેતરી રહ્યા છે. આ નકલી પોર્ટલ્સ ગૂગલ સર્ચમાં ટોપ પર દેખાય તે માટે પેઇડ ઍડ્વર્ટાઇઝમેન્ટ અને સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન જેવી યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે સામાન્ય યુઝર્સ આસાનીથી છેતરાઈ જાય છે. ઑથોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે નાણાકીય નુકસાનથી બચવા માટે માત્ર વેરિફાઇડ ચેનલ્સનો જ ઉપયોગ કરવો જોઈએ.
FASTagના નામે છેતરપિંડી, 'એન્યુઅલ પાસ' લેતાં પહેલા સાવધાન, NHAIએ જાહેર કરી એડવાઇઝરી
ગુજરાતમાં પરમીટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો: હવે પોલીસ દ્વારા જપ્ત કરાયેલો મુદ્દામાલ વધુ 'કિંમતી' બનશે!
ગુજરાતમાં નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા વર્ષ 2026 અને 2027 માટે વિદેશી દારૂ અને બિયરના નવા દર નક્કી કરવામાં આવ્યા છે. વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા જાહેરનામા મુજબ, દારૂ અને બિયરની વિવિધ બ્રાન્ડની કિંમતોમાં સરેરાશ 5થી 10 ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવા ભાવના અમલ સાથે જ હવે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવતા દારૂના મુદ્દામાલની ગણતરી પણ ઊંચી કિંમતે કરવામાં આવશે.
ગુજરાતમાં પરમીટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો: હવે પોલીસ દ્વારા જપ્ત કરાયેલો મુદ્દામાલ વધુ 'કિંમતી' બનશે!
'આપણે બધા એક જ બોટમાં સવાર, ડૂબીશું તો સાથે...' મુસ્લિમોને NSA અજીત ડોભાલનો સંદેશ
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અને ભારતીય મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે વડાપ્રધાન કાર્યાલયમાં ગત 18 એપ્રિલે એક મહત્વની બેઠક થઈ હતી. આ મીટિંગમાં મુસ્લિમ સમુદાયના અલગ-અલગ ક્ષેત્રોના લોકો સામેલ હતા. આ બેઠક દરમિયાન NSAએ કહ્યું કે ભારતમાં રહેતા હિન્દુ અને મુસલમાન એક જ જહાજના મુસાફરો જેવા છે. તમને જણાવી દઈએ કે આ બેઠકનો ઉદ્દેશ્ય પરંપરાગત વોટ-બેંકના રાજકારણથી દૂર રહીને મુસ્લિમ સમુદાયના વિકાસ, શિક્ષણ અને ઉદ્યોગસાહસિકતાના ભવિષ્ય પર ચર્ચા કરવાનો હતો.
'આપણે બધા એક જ બોટમાં સવાર, ડૂબીશું તો સાથે...' મુસ્લિમોને NSA અજીત ડોભાલનો સંદેશ
AAPને સૌથી મોટો ઝટકો: રાઘવ ચઢ્ઢાનું રાજીનામું, કહ્યું- હું 2/3 સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ
AAPના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ એક અત્યંત ચોંકાવનારો નિર્ણય લેતા જાહેર કર્યું છે કે તેઓ ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા છે. દિલ્હીમાં સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્યસભામાં AAPના બે તૃતીયાંશ(2/3) સભ્યોએ ભારતીય બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને BJP સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે. રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના 10 સાંસદો છે, જેમાંથી બે-તૃતીયાંશ, એટલે કે 7 અમારી સાથે છે. તેમના નામ રાઘવ ચઢ્ઢા સંદીપ પાઠક, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમ સાહની, સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ અને અશોક મિત્તલ છે.
AAPને સૌથી મોટો ઝટકો: રાઘવ ચઢ્ઢાનું રાજીનામું, કહ્યું- હું 2/3 સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ
યુદ્ધ વચ્ચે ચાબહાર પોર્ટ અંગે ભારત સરકાર લેશે મોટો નિર્ણય, 12 કરોડ ડૉલર લાગેલા છે દાવ પર
ભારત અને ઈરાન વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોમાં એક મોટો વળાંક આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત ઈરાનના ચાબહાર બંદરમાં પોતાની હિસ્સેદારી ઈરાનની જ એક સ્થાનિક કંપનીને વેચવાની તૈયારી કરી રહ્યું છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ અમેરિકા દ્વારા ઈરાન પર લાદવામાં આવેલા આકરા પ્રતિબંધો છે. ભારતની આ કામગીરીને મળેલી છૂટની મુદત 26 એપ્રિલ 2026ના રોજ પૂર્ણ થઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને ભારત સરકાર 'ઈન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ ચાબહાર ફ્રી ઝોન'(IPGCFZ)માં પોતાની હિસ્સેદારી ઈરાની કંપનીને ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ તૈયાર કરી રહી છે.
યુદ્ધ વચ્ચે ચાબહાર પોર્ટ અંગે ભારત સરકાર લેશે મોટો નિર્ણય, 12 કરોડ ડૉલર લાગેલા છે દાવ પર
અમદાવાદના બાપુનગરમાં SOGના દરોડા, 4 લાખના ગાંજા સાથે બે રીઢા ગુનેગારો ઝડપાયા
અમદાવાદમાં નશાના કારોબાર સામે લાલઆંખ કરતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ બાપુનગર વિસ્તારમાં સપાટો બોલાવ્યો છે. SOGની ટીમે બાપુનગરના બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને 8 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે બે શખસોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, SOGની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે બાપુનગરમાં આવેલી મણીલાલ મથુરદાસની ચાલીમાં રેહાન મસ્જિદ સામેના એક તૂટેલા મકાન તેમજ સત્યમ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર દરોડો પાડવામાં આવ્યો હતો.
અમદાવાદના બાપુનગરમાં SOGના દરોડા, 4 લાખના ગાંજા સાથે બે રીઢા ગુનેગારો ઝડપાયા
ભારતને 'નર્ક' ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતને 'નર્ક' કહેવા અંગે આપેલા નિવેદન પર વિવાદ વકર્યો છે. આ મુદ્દે મુંબઈ સ્થિત ઈરાની કોન્સ્યુલેટે ટ્રમ્પ પર વળતો પ્રહાર કર્યો છે અને તેમને ભારતની સુંદરતા જોવાની સલાહ આપી છે. ઈરાની કોન્સ્યુલેટે સોશિયલ મીડિયા પર 16 સેકન્ડનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં મહારાષ્ટ્રના બે વિરોધાભાસી અને સુંદર પાસાંઓ દર્શાવ્યા છે. એક તરફ મુંબઈની ગગનચુંબી ઇમારત અને હાઈવેની ચમક છે, તો બીજી તરફ પહાડો અને કુદરતી સૌંદર્યના દ્રશ્યો છે. આ પોસ્ટ સાથે ટ્રમ્પને 'કલ્ચરલ ડિટોક્સ' એટલે કે પોતાની વિચારધારા બદલવાની અને એકવાર ભારત આવીને જોવાની સલાહ આપવામાં આવી છે.
ભારતને 'નર્ક' ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
અજિત પવારનું વિમાન ક્રેશ કાળા જાદૂને કારણે થયું? NCP નેતાએ કર્યા સનસનીખેજ દાવા
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના દિગ્ગજ નેતા અજિત પવારના વિમાન દુર્ઘટનામાં થયેલા દુ:ખદ મોતના મહિનાઓ બાદ હવે આ મામલે એક ચોંકાવનારો દાવો કરવામાં આવી રહ્યો છે. NCP નેતા અને રાજ્ય વિધાન પરિષદના સભ્ય અમોલ મિટકરીએ આરોપ લગાવ્યો છે કે બારામતીમાં અજિત પવાર વિરુદ્ધ 'કાળો જાદુ' અને 'અઘોરી પૂજા' કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે 28 જાન્યુઆરીના રોજ બારામતીમાં થયેલા વિમાન ક્રેશમાં મહારાષ્ટ્રના તત્કાલીન ડેપ્યુટી CM અને અન્ય ચાર લોકોના મોત થઈ ગયા હતા. અજિત પવારને પ્રેમથી 'દાદા' કહેવામાં આવતા હતા.
અજિત પવારનું વિમાન ક્રેશ કાળા જાદૂને કારણે થયું? NCP નેતાએ કર્યા સનસનીખેજ દાવા
કચ્છ: રેલવેની સ્પેશિયલ ટ્રેન, ગાંધીધામથી માલદાટાઉન વચ્ચે દોડશે, મુસાફરોને રાહત થશે.
ઉનાળુ વેકેશનમાં ટિકિટ વેઇટિંગને ધ્યાનમાં રાખી રેલવે વિભાગે ગાંધીધામ અને માલદાટાઉન વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેન 25 એપ્રિલે ગાંધીધામથી રવાના થશે. વેકેશનમાં મુસાફરોની સંખ્યા વધતી હોવાથી આ ટ્રેન દોડાવાશે. રેલવે તંત્ર દ્વારા બુકિંગ વહેલી તકે કરાવી લેવા સૂચના અપાઈ છે. જરૂર પડ્યે અન્ય સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત થઈ શકે છે. આ ટ્રેનથી મુસાફરોને સીધો ફાયદો થશે.
કચ્છ: રેલવેની સ્પેશિયલ ટ્રેન, ગાંધીધામથી માલદાટાઉન વચ્ચે દોડશે, મુસાફરોને રાહત થશે.
વડોદરામાં રૂપિયાની લેતીદેતીમાં બે યુવકોનું અપહરણ, મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો.
વડોદરામાં રૂપિયાની લેતીદેતીના કારણે બે યુવકોના અપહરણથી ચકચાર મચી ગઈ હતી. મકરપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને યુવાનોને હેમખેમ છોડાવ્યા અને પરિવારને સોંપ્યા. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં Aditya Chauhan અને Vishal Rohit નામના યુવકોનું અપહરણ થયું હતું.
વડોદરામાં રૂપિયાની લેતીદેતીમાં બે યુવકોનું અપહરણ, મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો.
403 સીટોમાંથી ભાજપ 256 પર પહેલી પસંદ, સપાને 135; NDA સાથી પક્ષોને મોટું નુકસાન.
યુપીમાં 2027ની ચૂંટણી પહેલાં દૈનિક ભાસ્કરના સર્વેમાં ભાજપ 403માંથી 256 સીટો પર આગળ છે, જ્યારે સપા 135 સીટો પર મજબૂત છે. BJPના સાથી પક્ષોને નુકસાનની શક્યતા છે. સર્વેમાં સપાની સીટો વધતી દેખાય છે, ભાજપને 2 સીટોનું નુકસાન થઈ શકે છે. મંત્રીઓની 41 બેઠકોમાંથી 32 પર BJP પહેલી પસંદ છે. અપના દળ, RLD અને સુભાસપાની બેઠકો પર પણ ભાજપ પહેલી પસંદ છે.
403 સીટોમાંથી ભાજપ 256 પર પહેલી પસંદ, સપાને 135; NDA સાથી પક્ષોને મોટું નુકસાન.
નરવણે બોલ્યા: "2020માં ચીન સાથેની મડાગાંઠમાં સરકારે એકલા છોડ્યા નહોતા"
ભૂતપૂર્વ આર્મી ચીફ એમ.એમ. નરવણેની આત્મકથા ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’ હાલ વિવાદમાં છે. ૨૦૨૦ના ચીન વિવાદ અને અગ્નિવીર યોજના અંગેના લખાણોને કારણે સંરક્ષણ મંત્રાલયે હજુ સુધી આ પુસ્તકના પ્રકાશનને મંજૂરી આપી નથી. રાહુલ ગાંધીએ સંસદમાં આ પુસ્તકની નકલ સાથે સરકાર પર નિશાન સાધતા મામલો ગરમાયો હતો. નરવણેએ સ્પષ્ટ કર્યું કે ચીન સામેના નિર્ણયોમાં સરકારનો પૂર્ણ ટેકો હતો, જ્યારે પ્રકાશક પેંગ્વિને પુસ્તક સત્તાવાર રીતે બજારમાં ન આવ્યું હોવાની સ્પષ્ટતા કરી છે.
નરવણે બોલ્યા: "2020માં ચીન સાથેની મડાગાંઠમાં સરકારે એકલા છોડ્યા નહોતા"
EPFO New Rule: મે મહિનામાં UPIથી PF ના પૈસા ઉપાડી શકાશે
હવે PF કાઢવાની પ્રોસેસ સરળ બનશે. મે મહિનાના અંત સુધીમાં UPI દ્વારા PF ઉપાડવાની સેવા શરૂ થશે. EPFOના નવા ડિજિટલ સિસ્ટમ CITES 2.0 હેઠળ આ બદલાવ થશે. યુઝર્સ UAN દ્વારા લોગિન કરી, OTP વેરિફિકેશન પૂર્ણ કરીને સીધા UPI મારફતે પૈસા ટ્રાન્સફર કરી શકશે. જોકે, UPIથી PF ઉપાડવાની એક મર્યાદા રહેશે અને કર્મચારી પોતાનું સંપૂર્ણ PF ઉપાડી શકશે નહીં.
EPFO New Rule: મે મહિનામાં UPIથી PF ના પૈસા ઉપાડી શકાશે
ગંગા બંગાળની આત્મા સમાન, PM મોદીએ હુગલી નદીમાં નૌકાવિહાર કર્યો.
PM મોદીએ કોલકાતામાં હુગલી નદીમાં નૌકાવિહાર કર્યો, નદીના ફોટોગ્રાફ્સ લીધા, વિદ્યાસાગર સેતુ અને હાવડા બ્રિજની ઝલક જોઈ. તેમણે X પર તસવીરો શેર કરી અને ગંગાને દરેક બંગાળી માટે ખાસ ગણાવી. PM એ નાવિકો સાથે મુલાકાત કરી, તેમજ પશ્ચિમ બંગાળના વિકાસ માટે પ્રતિબદ્ધતા દર્શાવી.
ગંગા બંગાળની આત્મા સમાન, PM મોદીએ હુગલી નદીમાં નૌકાવિહાર કર્યો.
રાજકોટ વીજ તાર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો, LCBએ 15.27 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ ગ્રામ્યના જામકંડોરણા અને વીરપુર વિસ્તારમાં GEBના વીજ વાયરોની ચોરી કરતી ગેંગનો લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આ શાતિર આરોપીઓ વીજ પ્રવાહ બંધ કરી કટર વડે એલ્યુમિનિયમ વાયરો કાપી ચોરી કરતા હતા. LCBએ બાતમીના આધારે જેતપુર-વીરપુર હાઈવે પરથી છ આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી પિકઅપ વાહન, કાર અને મોટરસાયકલ સહિત કુલ ૧૫.૨૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સફળ કામગીરીથી ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવતા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
રાજકોટ વીજ તાર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો, LCBએ 15.27 લાખનો મુદ્દામાલ જપ્ત
પાટણની POCSO કોર્ટનો દાખલારૂપ ચુકાદો.
પાટણની સ્પેશિયલ POCSO કોર્ટે સગી દીકરી પર દુષ્કર્મ આચરવા બદલ પિતાને 20 વર્ષની સખ્ત કેદની સજા કરી. કોર્ટે આરોપીને 50,000 રૂપિયાનો દંડ અને સગીરાને 4 લાખ રૂપિયાનું વળતર આપવા ભલામણ કરી છે. આરોપીએ 2017થી 2024 સુધી ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટે 12 મૌખિક અને 15 દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લીધા હતા. સરકારી વકીલે આરોપીને સખ્ત સજા આપવા વિનંતી કરી હતી.
પાટણની POCSO કોર્ટનો દાખલારૂપ ચુકાદો.
શાહની ચેતવણી, કોંગ્રેસનો ચૂંટણી પંચ પર આરોપ
અમિત શાહે મમતાના ગુંડાઓને ચેતવણી આપી અને કોંગ્રેસે ચૂંટણી પંચની નોટિસને દુર્ભાવનાથી પ્રેરિત ગણાવી. કોંગ્રેસે કહ્યું કે આ મામલે મોડેલ કોડ ઓફ કન્ડક્ટ (MCC)નું ઉલ્લંઘન થયું નથી. જયરામ રમેશે ચૂંટણી કમિશનરને પત્ર લખી નોટિસ પર સવાલ ઉઠાવ્યા. પશ્ચિમ બંગાળની 152 બેઠકો પર 92.72% અને તમિલનાડુની તમામ 234 બેઠકો પર 85.14% મતદાન થયું.
શાહની ચેતવણી, કોંગ્રેસનો ચૂંટણી પંચ પર આરોપ
સંકટમાં માલદીવ્સને ભારતની મદદ: મુઈજ્જુ સરકારને ₹30 અબજની સહાય.
ભારતએ માલદીવ્સને ₹30 Billion Currency Swap ની મદદ કરી. આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા માલદીવ્સને ભારતે આશરે 400 મિલિયન ડૉલરની સહાય કરી છે. માલદીવ્સની નાણાકીય સ્થિરતા માટે આ પગલું મહત્વપૂર્ણ છે. ભારત અને માલદીવ્સ વચ્ચે આર્થિક સમજૂતી મજબૂત બની છે.
સંકટમાં માલદીવ્સને ભારતની મદદ: મુઈજ્જુ સરકારને ₹30 અબજની સહાય.
સુરતમાં નોકરી-આવાસના નામે કરોડોનું ફૂલેકું, ન્યૂઝ પેપરના તંત્રીએ 16 લોકો સાથે 2.42 કરોડની છેતરપિંડી કરી.
સુરતમાં સરકારી આવાસ અને નોકરી અપાવવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ. ક્રાઈમ બ્રાન્ચે 'જનાદેશ' ન્યૂઝ પેપરના તંત્રી રાજેન્દ્ર ચૌધરી વિરુદ્ધ કાર્યવાહી કરી. આરોપી SMC માં વગ હોવાનું જણાવી, આવાસ માટે ₹12-13 લાખ અને નોકરી માટે ₹15 લાખ લેતો હતો. 16 ભોગ બનનારાઓ પાસેથી ₹2.42 કરોડ પડાવ્યા, અને નકલી 'EC કોડ' મોકલી છેતરપિંડી કરતો હતો.
સુરતમાં નોકરી-આવાસના નામે કરોડોનું ફૂલેકું, ન્યૂઝ પેપરના તંત્રીએ 16 લોકો સાથે 2.42 કરોડની છેતરપિંડી કરી.
એપ્રિલમાં દેશની વેપાર પ્રવૃત્તિમાં રિકવરી
માર્ચમાં નીચી સપાટી બાદ એપ્રિલમાં મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટની આગેવાનીમાં દેશની વેપાર પ્રવૃત્તિમાં રિકવરી જોવા મળી રહી છે. ઉત્પાદન અને વેચાણમાં વધારો થતાં એકંદર વેપાર પ્રવૃત્તિમાં સુધારો થયો છે. એપ્રિલ મહિનાનો HSBC સંયુક્ત PMI વધીને 58.30 થયો છે, જે માર્ચમાં 57 હતો.
એપ્રિલમાં દેશની વેપાર પ્રવૃત્તિમાં રિકવરી
ધરમપુરમાં જજના બંગલામાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ.
ધરમપુરમાં એક જજની બંધ રહેણાંક મિલકતમાં ચોરી કરવાનો પ્રયાસ કરનાર રીઢા તસ્કરને પોલીસે ઝડપી પાડ્યો છે. વલસાડ એસપીની સૂચના હેઠળ ધરમપુર પોલીસે ૩૦થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ અને બાતમીદારોની મદદથી ૨૨ વર્ષીય સંદીપ પાડવીની ધરપકડ કરી છે. ટેકનિકલ સર્વેલન્સ અને સઘન પૂછપરછના અંતે આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીને કારણે મોટી ચોરીની ઘટના અટકી છે અને હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ ડામવાનો પ્રયાસ કરાયો છે.
ધરમપુરમાં જજના બંગલામાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ.
ભારતીય ઇક્વિટીને HSBC દ્વારા ડાઉનગ્રેડ, એક મહિનામાં બીજી વખત ઘટાડો.
HSBCએ ભારતીય ઇક્વિટીને ન્યુટ્રલથી અન્ડરવેઈટ કરી છે, જે એક મહિનામાં બીજું ડાઉનગ્રેડ છે. મધ્યપૂર્વના યુદ્ધને કારણે ઊર્જાના ભાવમાં વધારાથી ભારતીય કંપનીઓની earnings recovery ટકી શકશે કે કેમ તેની શંકા છે. યુદ્ધ પછી ક્રુડ તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે, જે પ્રતિ બેરલ $100ને પાર કરી ગયો છે.
ભારતીય ઇક્વિટીને HSBC દ્વારા ડાઉનગ્રેડ, એક મહિનામાં બીજી વખત ઘટાડો.
પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ખરાબ EVMને કારણે મતદાન અટક્યું
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૨ બેઠકો પર મતદાન થયું હતું. શરૂઆતના તબક્કે મતદાન શારૂ રહ્યું હતું, પરંતુ બપોરની ગરમી વધતા મતદારોની સંખ્યા ઓછી થઈ હતી. પશ્ચિમ બંગાળમાં તમામ પક્ષોએ ખૂબ આક્રમકતાથી પ્રચાર કર્યો હતો. ચૂંટણી કમિશનના સબ સલામતના દાવા વચ્ચે ઘણી જગ્યાએ ચૂંટણી કમિશન નિષ્ફળ હોવાના પુરાવા મળ્યા હતા. કેટલાક સ્થળે ઇવીએમ બગડી જતા મતદાન અટકી ગયું હતું અને મતદારો પાછા ફર્યા હતા.
પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ખરાબ EVMને કારણે મતદાન અટક્યું
ભારતની ક્રૂડ આયાતમાં OPEC દેશોનો હિસ્સો ઘટીને રેકોર્ડ 29% થયો.
અમેરિકા-ઈરાન સંઘર્ષની અસરથી ક્રૂડ ઓઇલની આયાતમાં ઘટાડો થયો છે. ફેબ્રુઆરીની સરખામણીએ માર્ચમાં આયાત લગભગ 13% ઘટી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવને લીધે ગલ્ફ દેશોમાંથી તેલની આયાત 61% ઘટીને 11.8 લાખ બેરલ પ્રતિ દિવસ થઈ છે. આ ઘટાડો એનર્જી સપ્લાય પર અસર કરે છે.
ભારતની ક્રૂડ આયાતમાં OPEC દેશોનો હિસ્સો ઘટીને રેકોર્ડ 29% થયો.
અમેરિકામાં સ્માર્ટફોનની નિકાસ 86% વધીને 19.68 અબજ ડોલર થઈ.
ટેરિફ વિવાદો છતાં, અમેરિકામાં સ્માર્ટફોનની નિકાસ વધી છે. નાણાકીય વર્ષ 2025-26માં સ્માર્ટફોનના કારણે દેશની ઈલેક્ટ્રોનિક્સ નિકાસ 24% વધીને 47.96 અબજ ડોલર થઈ, જે અગાઉ 38.56 અબજ ડોલર હતી. Production Linked Incentive Scheme (PLI) થી નિકાસ વૃદ્ધિમાં મદદ મળી રહી છે એવું સરકારનું માનવું છે.
અમેરિકામાં સ્માર્ટફોનની નિકાસ 86% વધીને 19.68 અબજ ડોલર થઈ.
UPના પ્રયાગરાજ, મહારાષ્ટ્રના અમરાવતીમાં તાપમાન 44°C
દેશના વિવિધ ભાગોમાં લૂનો પ્રકોપ વધતા યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના શહેરોમાં તાપમાન 44°C ને પાર પહોંચ્યું છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં સૌથી વધુ 44.5°C પારો નોંધાયો છે. ભીષણ ગરમીના કારણે રાજસ્થાનમાં શાળાઓના સમયમાં ફેરફાર કરી સવારના 7.30 કરાયા છે અને મનરેગાના કામના કલાકો પણ બદલાયા છે. ઓડિશામાં પણ હીટવેવની ગંભીર અસરને જોતા કટક સહિતના જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજાઓ લંબાવવામાં આવી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગરમીનું જોર યથાવત રહેવાની આગાહી કરી છે.
UPના પ્રયાગરાજ, મહારાષ્ટ્રના અમરાવતીમાં તાપમાન 44°C
ટ્રાફિક નિયમોનો ભંગ બહાદુરી અને ચાલાકી ગણાય છે?
ભારતમાં ટ્રાફિકની સમસ્યા માત્ર અપૂરતા રસ્તા કે વસ્તીની નથી, પરંતુ નાગરિક શિસ્તના અભાવની છે. વર્ષ 2023માં 1.73 લાખથી વધુ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે, જે અત્યંત ચિંતાજનક છે. નિયમો તોડવાને બહાદુરી માનવી, ખોટી ઓવરટેક કરવી અને વીઆઈપી કલ્ચરનું પ્રદર્શન અકસ્માતોનું મુખ્ય કારણ છે. રસ્તા પર અતિક્રમણ અને ધાર્મિક-સામાજિક પ્રસંગો માટે જાહેર માર્ગો રોકવા એ આપણી નબળી નાગરિકતા દર્શાવે છે. સાચા નાગરિક ધર્મનું પાલન અને ટ્રાફિક શિસ્ત જ ભારતને સુરક્ષિત બનાવી શકશે.
ટ્રાફિક નિયમોનો ભંગ બહાદુરી અને ચાલાકી ગણાય છે?
ભારત માટે આફતને અવસરમાં બદલવાની તક
અમેરિકા-ઈરાન સંઘર્ષ અને હોર્મુઝ જળમાર્ગની નાકાબંધીને કારણે વિશ્વભરમાં ઊર્જા સંકટ સર્જાયું છે, જે ભારત માટે 'આફતને અવસરમાં' બદલવાની મોટી તક છે. ગલ્ફ દેશોમાં સપ્લાય ચેન ખોરવાતા ભારત ખાદ્ય ચીજો, દવાઓ અને આવશ્યક વસ્તુઓના મુખ્ય સપ્લાયર તરીકે ઉભરી શકે છે. ભારતની મજબૂત વિદેશ નીતિ અને ઈરાન તથા સાઉદી અરેબિયા જેવા દેશો સાથેના વ્યૂહાત્મક સંબંધો તેને વિશ્વસનીય ભાગીદાર બનાવે છે. આ કટોકટીમાં ભારત પોતાની નિકાસ ક્ષમતા દ્વારા વૈશ્વિક વેપારમાં મજબૂત પકડ જમાવી શકે તેમ છે.
ભારત માટે આફતને અવસરમાં બદલવાની તક
ભાવનગરના રાજપરા ગામના મકાનમાંથી વિદેશી દારૃ સાથે શખ્સ ઝડપ્યો
ભાવનગર LCB રાજપરા ગામે રહેતો ગોપાલ ધરમશીભાઈ મકવાણાના રહેણાંકના મકાનમાં દરોડો પાડી તલાશી લેતા વિદેશી દારૃની ૨ બોટલ રૃ.૬૦૦ ની મળી આવતા પોલીસે ધરપકડ કરી પૂછપરછ કરતા અજય પ્રવીણભાઈ ડાભી નામનો શખ્સ આપી ગયો હોવાની કબૂલાત કરતા પોલીસે બન્ને શખ્સ વિરૃધ્ધ અલંગ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગરના રાજપરા ગામના મકાનમાંથી વિદેશી દારૃ સાથે શખ્સ ઝડપ્યો
સુરેન્દ્રનગરના પાટડી, સાયલા અને થાનમાં પોલીસે દારૂની બદી પર રેડ કરી.
સુરેન્દ્રનગર જીલ્લામાં ચૂંટણીને લઈને પોલીસે દારૂના દરોડા કર્યા. પાટડી, સાયલા Highway પર હોટેલ પાછળ, થાન મામાદેવના મંદિર પાસે રેડ કરી દારૂ, સ્કૂટર સહિત Rs. 33,850 નો મુદ્દામાલ જપ્ત કર્યો. પાટડી પોલીસે દિલીપ ઠાકોરને દારૂ વેચતા ઝડપવા રેડ કરી, આરોપી ફરાર. સાયલામાં LCB ટીમે ધીરજ રાજપુતને દારૂ સાથે પકડ્યો. થાનમાં સ્કૂટરની ડેકીમાંથી દારૂ મળ્યો, આરોપી ફરાર. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી.
સુરેન્દ્રનગરના પાટડી, સાયલા અને થાનમાં પોલીસે દારૂની બદી પર રેડ કરી.
ધંધૂકા શહેરમાં યુવકની હત્યાના વિરોધમાં ધ્રાંગધ્રામાં VHP દ્વારા આવેદન પાઠવાયુ
ધંધૂકામાં માલધારી સમાજના યુવક ધર્મેશ ભરવાડની વિધર્મીઓ દ્વારા કરાયેલી હત્યાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને માલધારી સમાજના યુવાનોએ ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. અગાઉ થયેલી કિશન ભરવાડની હત્યાના આરોપીઓને હજુ સજા મળી નથી ત્યાં ફરી હિન્દુ યુવકને નિશાન બનાવવામાં આવતા ભારે રોષ વ્યાપ્યો છે. આવેદનમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા અને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરનારા હત્યારાઓને દાખલારૂપ સજા અપાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.