અમૃત પેલેસથી અંબિકા પાર્કનો રસ્તો ફરી ૧૪ દિવસ બંધ, ગિરીરાજ-ગોકુળનગરમાં કામગીરી ધીમી
અમૃત પેલેસથી અંબિકા પાર્કનો રસ્તો ફરી ૧૪ દિવસ બંધ, ગિરીરાજ-ગોકુળનગરમાં કામગીરી ધીમી
Published on: 13th June, 2026

મનપા દ્વારા વિવિધ વોર્ડમાં ગટરલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. ગિરીરાજ, રાધાનગર, તિરૂપતિનગર, ગોકુલનગર, લક્ષ્મીનગર જેવા વિસ્તારોમાં રસ્તાઓ ખોદવામાં આવ્યા છે. ચોમાસાની નજીક આવતા અને ગોકળગાય ગતિએ ચાલતી કામગીરી વચ્ચે અમૃત પેલેસથી અંબિકા પાર્કનો રસ્તો ફરી ૧૪ દિવસ બંધ કરાયો છે. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. રાધાનગર સોસાયટીમાં પણ રસ્તા ખોદાયેલા છે. જો કામગીરી સમયસર પૂર્ણ નહિ થાય તો ભારે વરસાદમાં લોકોને કાદવ-કિચડનો સામનો કરવો પડશે.