ઇરાનમાં આંતરિક સંઘર્ષ: તલવાર ધારકોના હાથમાં સત્તા
ઇરાનમાં આંતરિક સંઘર્ષ: તલવાર ધારકોના હાથમાં સત્તા
Published on: 20th July, 2026

અમેરિકા સાથેના યુદ્ધ વચ્ચે ઇરાનમાં આંતરિક સંઘર્ષ વધી ગયો છે. સર્વોચ્ચ નેતા અલિ ખામેનેઇના મૃત્યુ બાદ તખ્તો પલટાવાનો ભય છે. કટ્ટરપંથી જૂથો, પ્રમુખ મસૂદ પેઝેસ્કીયન અને વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીને ગળાં કાપી નાખવાની ધમકીઓ આપી રહ્યા છે. તહેરાનમાં અલી ખામેનેઇના જનાજા સમયે થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોમાં સમજૂતી કરનારાઓના મુર્દાબાદના નારા લાગ્યા હતા અને અરાઘચી પર પથ્થરમારો થયો હતો. હવે દેશ કટ્ટરપંથીઓના હાથમાં જઈ રહ્યો છે.