રામ મંદિર બાદ સોમપુરા સમાજને 500થી વધુ મંદિરોના ઓર્ડર.
રામ મંદિર બાદ સોમપુરા સમાજને 500થી વધુ મંદિરોના ઓર્ડર.
Published on: 19th May, 2026

શ્રીરામ મંદિર બાદ વૈશ્વિક સ્તરે ભારતીય શિલ્પકલાનો સુવર્ણકાળ શરૂ થયો છે. આગામી 3 વર્ષમાં દેશમાં 500થી વધુ અને વિદેશમાં 50 મંદિરોનું નિર્માણ સોમપુરા સમાજના શિલ્પીઓ દ્વારા કરાશે. એક મંદિર નિર્માણનો ખર્ચ 50 લાખથી વધુ થાય છે. 250 લોકોને ટ્રેનિંગ અપાય છે, જેમાં દિશા, શિલ્પ, સૂર્યપ્રકાશ અને ઊર્જાના પ્રવાહનું જ્ઞાન અપાય છે. સૌથી વધારે જૈન મંદિરોનું નિર્માણ થશે.