ગાંધીનગર દુર્ઘટનામાં મંત્રી અમૃતિયાના મતે બિલ્ડર નહીં, વ્યવસ્થાની ખામી જવાબદાર
ગાંધીનગર દુર્ઘટનામાં મંત્રી અમૃતિયાના મતે બિલ્ડર નહીં, વ્યવસ્થાની ખામી જવાબદાર
Published on: 10th September, 2026

ગાંધીનગરના કુડાસણ ખાતે બાંધકામ સાઇટ પર થયેલી દુર્ઘટનામાં કુલ 12 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સદનસીબે કોઈને ગંભીર ઈજા થઈ નથી. 4 દર્દીઓ ICUમાં અને 8 દર્દીઓ જનરલ વોર્ડમાં સારવાર હેઠળ છે. 3 દર્દીઓને રજા આપી દેવાઈ છે અને બાકીનાને પણ જલ્દી રજા અપાશે. મંત્રી કાંતિ અમૃતિયાએ ઘટના સ્થળની મુલાકાત લઈ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં બિલ્ડરનો કોઈ વાંક નથી, પરંતુ સાઈટ પરની વ્યવસ્થાની ખામી જવાબદાર છે. તેમણે પીડિત પરિવારને મદદની ખાતરી આપી. એન્જિનિયરોની ટીમ દુર્ઘટનાના કારણોની તપાસ કરી રહી છે.