નર્મદા જંગલ જમીન વિવાદનો અંત!
નર્મદા જંગલ જમીન વિવાદનો અંત!
Published on: 31st August, 2026

સાગબારાના આદિવાસી ખેડૂતો 23 દિવસ સુધી પોતાની જમીન અને ખેડાણના અધિકારો માટે ધરણા પર બેઠા હતા, ત્યારબાદ રાજ્યનું વહીવટી તંત્ર અને સરકાર જાગ્યા છે. ભાજપના મંત્રીઓ અને સાંસદે સ્થળ પર પહોંચી આંદોલનકારીઓને પારણા કરાવી વિવાદ ઉકેલવાનો દાવો કર્યો છે. પરંતુ 23 દિવસના આ ઘર્ષણે ગુજરાતના રાજકારણમાં ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે. સરકાર આટલો લાંબો સમય કેમ મૌન રહી? ભાજપના સ્થાનિક આદિવાસી નેતાઓ આદિવાસીઓની વેદના ગાંધીનગર સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે "શું ભાજપના પોતાના જ આદિવાસી નેતાઓનું સરકારમાં કશું જ ઉપજતું નથી?" તેવી ચર્ચા ચાલી રહી છે.