ચૂંટણી હાર્યા બાદ TMCમાં ભડકો, દિગ્ગજોએ મમતાને ઘેર્યા.
ચૂંટણી હાર્યા બાદ TMCમાં ભડકો, દિગ્ગજોએ મમતાને ઘેર્યા.
Published on: 08th May, 2026

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હાર બાદ TMCમાં આંતરિક વિખવાદ વકર્યો છે. રાજ ચક્રવર્તીએ રાજકારણ છોડ્યું, જયારે અનેક દિગ્ગજોએ નેતૃત્વ સામે બળવો પોકાર્યો. સંગઠનાત્મક અહંકાર અને જમીની સ્તરથી કપાયેલા હોવા જેવા કારણો અપાઈ રહ્યા છે. I-PAC અને બિન-બંગાળી સલાહકારોના પ્રભાવ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. ભ્રષ્ટાચાર અને ફંડ માટે દબાણના ગંભીર આરોપો સાથે રાજીનામાનો દોર શરૂ થયો છે.