જામનગરમાં અનોખા ગણપતિ
જામનગરમાં અનોખા ગણપતિ
Published on: 04th September, 2026

જામનગરમાં દગડુ શેઠ ગણપતિ મહોત્સવ સમિતિ - એઈટ વર્લ્ડ્સ ગ્રુપ દ્વારા પર્યાવરણને અનુકૂળ ગણેશોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે, દ્વારકાના પવિત્ર ગોપી તળાવની ગોપી ચંદન માટીમાંથી સંપૂર્ણપણે ઈકો-ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમા બનાવવામાં આવી રહી છે. આકર્ષક કોન્સેપ્ટમાં, ગણપતિ દાદા હિંચકે બિરાજમાન થશે અને તેમનું વાહન મૂષકરાજ તેમને હિંચકાવશે. સમિતિના સભ્યો છેલ્લા એક મહિનાથી આ કલાત્મક પ્રતિમા નિર્માણમાં રાત-દિવસ કાર્યરત છે. આ ગ્રુપે 8 વખત ગિનીસ બુક અને 14 વખત લિમ્કા બુકમાં સ્થાન મેળવ્યું છે.