51 શક્તિપીઠોની સાઇકલ યાત્રા: ભાયલીના યુવકને નેપાળમાં તિરંગા સાથે જવાની મંજૂરી મળી
51 શક્તિપીઠોની સાઇકલ યાત્રા: ભાયલીના યુવકને નેપાળમાં તિરંગા સાથે જવાની મંજૂરી મળી
Published on: 20th July, 2026

વડોદરાના ભાયલીના 31 વર્ષીય યુવક ઋતુલ પટેલે 51 શક્તિપીઠો વિશે જાગૃતિ લાવવા માટે ડિસેમ્બર-2025માં સાઇકલ યાત્રા શરૂ કરી. 6 હજાર કિમીથી વધુની સફર બાદ તે નેપાળ પહોંચ્યો. કાઠમંડુમાં તેણે સાઇકલ પર ભારત-નેપાળના ધ્વજ લગાવ્યા હતા. સ્થાનિક સુરક્ષા કર્મીઓ અને પોલીસે તેને રોક્યો હતો. કાયદાકીય પૂછપરછ બાદ, નેપાળના ધ્વજને બેગમાં મુકાવી માત્ર તિરંગા સાથે યાત્રા કરવાની મંજૂરી અપાઈ. ઋતુલ હવે બાંગ્લાદેશ જવાનું વિચારી રહ્યો છે.