પોરબંદરના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ સોમવારે વિશેષ દર્શન
પોરબંદરના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ સોમવારે વિશેષ દર્શન
Published on: 26th August, 2026

પોરબંદરના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના બીજા સોમવારે મિત્ર મંડળ દ્વારા ભવ્ય આયોજન કરાયું હતું. ધ્વજારોહણ, વિશેષ શણગાર, ગંગાજળ અભિષેક, સાંજ-રાત્રિની મહાઆરતી અને ફરાળી મહાપ્રસાદનો લાભ મોટી સંખ્યામાં ભાવિકોએ લીધો હતો. આ મંદિર છેલ્લા બે દાયકાથી ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સેવાકીય કાર્યો જેવી કે આરોગ્ય તપાસ કેમ્પ, રક્તદાન, વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ વગેરે માટે પણ પ્રખ્યાત છે. મંદિર પરિસરમાં કૃત્રિમ મોરનો ટહુકો પણ એક અનોખું આકર્ષણ બન્યું છે, જે ભાવિકોને કુદરતી માહોલનો અનુભવ કરાવે છે.