ચાણોદ ગંગા મહાદેવ આશ્રામ ખાતે શિવમહાપુરાણ કથા યોજાઇ.
ચાણોદ ગંગા મહાદેવ આશ્રામ ખાતે શિવમહાપુરાણ કથા યોજાઇ.
Published on: 28th May, 2026

ડભોઇ તાલુકાના તીર્થધામ ચાણોદના ભીમપુરા ખાતે નર્મદા તટે પૌરાણિક ગંગાનાથ મહાદેવ શિવાલય ખાતે હાલ અધિક માસ પુરુષોત્તમ માસમાં શિવ મહાપુરાણ કથા યોજાઇ છે. જેમાં સુરતના કથાકાર કેતન શાસ્ત્રી દ્વારા કથાનું દ્રષ્ટાંત સાથે મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ, મુંબઈ,વિસનગર, પાલનપુર સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં શિવ મહાપુરાણ કથા સાંભળવા ભક્તો હાજર રહ્યાં હતા.