મોરબીમાં પૌરાણિક રફાળેશ્વર મહાદેવ શિવાલયનો અનોખો ઇતિહાસ
મોરબીમાં પૌરાણિક રફાળેશ્વર મહાદેવ શિવાલયનો અનોખો ઇતિહાસ
Published on: 09th September, 2026

મોરબી શહેર સિરામિક ઉદ્યોગ માટે જાણીતું છે, પણ અહીં અનેક પૌરાણિક સ્થળો આવેલા છે. તેમાંનું એક છે 'રફાળેશ્વર મહાદેવ'નું શિવાલય. એવી માન્યતા છે કે, અહીં બ્રહ્માજીએ લક્ષ્મીજીને રિઝવવા તપ કર્યું હતું. મોરબીથી લગભગ 10 કિલોમીટર દૂર આવેલું આ મંદિર અનેક લોકવાયકાઓ ધરાવે છે. રંભ્ય મુનિ અને રાજકુમાર રિપુપાલે પણ અહીં તપ કર્યું હતું. મહારાજા લખધીરજીએ અહીં ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું. પીપળાને પાણી રેડવાથી અને શ્રાદ્ધ કરવાથી પિતૃઓને સદગતિ મળે તેવી માન્યતા છે. શ્રાવણ માસના અંતે અહીં લોકમેળો ભરાય છે.