રાજા વિક્રમાતજી નિર્મિત શીતલા મંદિરે બહેનોએ શ્રીફળ-કુલેર ધરી કરી પૂજા-અર્ચના
રાજા વિક્રમાતજી નિર્મિત શીતલા મંદિરે બહેનોએ શ્રીફળ-કુલેર ધરી કરી પૂજા-અર્ચના
Published on: 04th September, 2026

પોરબંદરના શીતળા ચોક સ્થિત રાજા વિક્રમાતજી દ્વારા નિર્મિત શીતલા માતાજીના મંદિરે શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ. વહેલી સવારથી જ મહિલાઓની લાંબી કતારો જોવા મળી, જેમણે પોતાના પરિવારના સારા આરોગ્ય અને સુખાકારી માટે શ્રીફળ અને બાજરીના કુલેરનો પ્રસાદ ધરાવી પૂજા-અર્ચના કરી. આ પૌરાણિક મંદિરે શ્રદ્ધાળુઓએ માતાજી સમક્ષ ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી. પરંપરા મુજબ, શીતળા સાતમના દિવસે ઘરમાં ચૂલો ન પ્રગટાવી ઠંડુ ભોજન ગ્રહણ કરવાની ધાર્મિક માન્યતા જાળવવામાં આવી.