ચાંદોદ ખાતે ગંગા દશાહરા મહોત્સવનું ભક્તિમય અને શ્રદ્ધાપૂર્ણ સમાપન.
ચાંદોદ ખાતે ગંગા દશાહરા મહોત્સવનું ભક્તિમય અને શ્રદ્ધાપૂર્ણ સમાપન.
Published on: 27th May, 2026

ચાંદોદ ખાતે વર્ષોની પરંપરા અનુસાર યોજાયેલ ગંગા દશાહરા મહોત્સવનું ભક્તિ સભર પુર્ણાહુતિ થયું. જેઠ સુદ એકમથી દશમ સુધી ઉજવાતા આ પર્વમાં 10 પ્રકારના પાપ દોષમાંથી મુક્તિ મળે છે. રાજા ભગીરથના પુત્રોના મોક્ષાર્થે ગંગાજીના પૃથ્વી પર અવતરણની સ્મૃતિમાં વડોદરાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદના મલ્હારરાવ ઘાટ ખાતે આ મહોત્સવ ઉજવાય છે. ગુજરાતભરમાંથી લાખો ભાવિકોએ લાભ લીધો, જેમાં ધારાસભ્ય શૈલેષ મહેતા અને પરિવારે પણ પૂજન, અર્ચન અને મહાઆરતીમાં ભાગ લીધો.