અમરેલી જિલ્લાના જળાશયોમાંના 4 ડેમ 100% ભરાયા
અમરેલી જિલ્લાના જળાશયોમાંના 4 ડેમ 100% ભરાયા
Published on: 01st September, 2026

અમરેલી જિલ્લાના 10 જળાશયો પૈકી 4 જળાશયો 100% પાણીથી ભરાયા છે. જિલ્લાનો મુખ્ય ખોડિયાર ડેમ 96.83% ભરેલો છે. ધાતરવડી 1 ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી અપાઈ રહ્યું છે. લાંબા સમયથી વરસાદ ન પડતાં ખેડૂતો ચિંતિત છે, પરંતુ ભરેલા જળાશયો સિંચાઈ માટે ફાયદાકારક નીવડશે. ધાતરવડી 1, રાયડી, સુરજવડી અને ધાતરવડી 2 ડેમ 100% ભરાયા છે. શેલ દેદુમલ ડેમમાંથી 53 ક્યુસેક્સ પાણી નદીમાં વહી રહ્યું છે. ચોમાસાની શરૂઆતમાં થયેલા સારા વરસાદથી ખેડૂતોએ વાવણી કરી હતી, પરંતુ હવે વરસાદ ખેંચાતા પાકને પાણીની જરૂર છે.