અસમમાં ભયાનક પૂર: 68 લોકોના મોત, NDRF દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
અસમમાં ભયાનક પૂર: 68 લોકોના મોત, NDRF દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Published on: 27th July, 2026

અસમમાં કુદરતનો કહેર યથાવત છે, જ્યાં ભયાનક પૂરના કારણે 68 લોકોના મોત થયા છે અને 5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. ચરાઈદેવ, શિવસાગર, જોરહાટ, ગોલાઘાટ અને નાગાંવ જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર છે. NDRF અને ભારતીય સેના દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે, જેમાં લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવી રહ્યા છે. 354 રાહત શિબિરોમાં 37,724 વિસ્થાપિતોને આશરો આપવામાં આવ્યો છે. પૂરના કારણે 48,742 હેક્ટર કૃષિ જમીન અને હજારો પશુઓ પણ પ્રભાવિત થયા છે.