દાહોદમાં ગૌમાતાને ગરમીથી રાહત આપવા માટે ગૌશાળામાં ફોગર સિસ્ટમની સ્થાપના.
દાહોદમાં ગૌમાતાને ગરમીથી રાહત આપવા માટે ગૌશાળામાં ફોગર સિસ્ટમની સ્થાપના.
Published on: 28th May, 2026

દેવગઢબારીઆ શ્રી કામધેનુ ગૌશાળામાં હાલમાં 150 જેટલી ગાયો અને વાછરડાઓની સંભાળ રાખવામાં આવી રહી છે. ગરમીથી રાહત આપવાના ઉમદા હેતુથી, કેટલાક સેવાભાવી વ્યક્તિઓએ સમગ્ર ગૌશાળામાં આધુનિક ફોગર સિસ્ટમ સ્થાપિત કરી છે. આ સિસ્ટમ દ્વારા ગૌમાતાઓ પર સમયાંતરે ઠંડા પાણીનો છંટકાવ થાય છે, જેનાથી તેમને ઉનાળાની અસહ્ય ગરમીમાં રાહત મળે છે. આ ગૌશાળામાં 25 ગૌમાતાઓને ગામના નાગરિકોએ દત્તક લીધી છે.