સુરતમાં પૂર-વાવાઝોડા બાદ પશુઓ પર જોખમ
સુરતમાં પૂર-વાવાઝોડા બાદ પશુઓ પર જોખમ
Published on: 02nd August, 2026

સુરત જિલ્લામાં ભારે વાવાઝોડા અને અતિવૃષ્ટિ બાદ પશુઓમાં રોગચાળો ફેલાતો અટકાવવા પશુપાલન વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરાઈ છે. પૂર બાદ પશુઓમાં બીમારીઓનું જોખમ વધતાં, જિલ્લા પંચાયત દ્વારા રાહત અને સારવાર કામગીરી હાથ ધરાઈ છે. ઓલપાડ, માંડવી, અરેઠ અને માંગરોળ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોમાં 12 જેટલી મેડિકલ ટીમો ગામડે-ગામડે ફરી પશુઓની તપાસ અને સારવાર કરી રહી છે. પશુપાલકોને સમયસર ગળસુંઢાની રસી મુકાવવા અને કૃમિનાશક દવાઓ મેળવવા અપીલ કરાઈ છે.