પંચમહાલમાં 15 દિવસથી વરસાદ નહીં, 54 હજાર હેક્ટરમાં મકાઈ પાક પર સંકટ
પંચમહાલમાં 15 દિવસથી વરસાદ નહીં, 54 હજાર હેક્ટરમાં મકાઈ પાક પર સંકટ
Published on: 01st September, 2026

પંચમહાલ જિલ્લામાં 76% વરસાદ થયા છતાં છેલ્લા 15 દિવસથી વરસાદની અછતને કારણે ખેડૂતો ચિંતિત છે. જો આગામી 7 દિવસમાં વરસાદ નહીં પડે તો 1.68 લાખ હેક્ટરમાં થયેલા પાકને, ખાસ કરીને 54,500 હેક્ટરમાં વાવેલી મકાઈને ગંભીર નુકસાન થવાની ભીતિ છે. મકાઈના દૂધિયા દાણા ભરાવાના સમયે જમીનમાં ભેજ ઘટવાને કારણે છોડને પૂરતા પોષક તત્વો મળી શકતા નથી, જેનાથી દાણા ફોલા રહી જવાની શક્યતા છે. ખેતીવાડી વિભાગ પણ નુકસાનની આશંકા વ્યક્ત કરી રહ્યું છે.