અમદાવાદમાં વરસાદથી અસરગ્રસ્તોને મ્યુનિસિપાલિટી ટેક્સમાં રાહત
અમદાવાદમાં વરસાદથી અસરગ્રસ્તોને મ્યુનિસિપાલિટી ટેક્સમાં રાહત
Published on: 31st July, 2026

અમદાવાદ શહેરમાં વરસાદને કારણે નુકસાન સહન કરનારા વેપારીઓ અને લોકોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્સમાં રાહત આપવાની તૈયારી છે. આ માટે AMC દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરવા સાત ઝોનમાં સાત અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો નુકસાનની માત્રા અને પ્રકાર નક્કી કરશે, જેનો રિપોર્ટ સરકારને મોકલવામાં આવશે. ત્યારબાદ ટેક્સમાં કેટલી રાહત આપવી તેનો નિર્ણય લેવાશે. આ ઉપરાંત, મ્યુનિસિપલ પ્લોટના ભાડા અંગે પણ નવા નિયમો કરાયા છે, જેમાં હવેથી ફક્ત સંપૂર્ણ પ્લોટ જ ભાડે મળશે, આંશિક નહીં.