અમદાવાદના દશીવાડાની પોળમાં જૈન વિદ્યાશાળામાં 14મી સદીના હજારો હસ્તપ્રતો સંગ્રહિત
અમદાવાદના દશીવાડાની પોળમાં જૈન વિદ્યાશાળામાં 14મી સદીના હજારો હસ્તપ્રતો સંગ્રહિત
Published on: 31st July, 2026

ભાવિ પેઢી માટે અમૂલ્ય જ્ઞાન વારસાનું સંરક્ષણ અને સંવર્ધન જરૂરી છે. માણેક ચોક પાસે દોશીવાડાની પોળમાં આવેલી સુબાજી રવચંદ જયચંદ જૈન વિદ્યાશાળામાં સદીઓ જૂની હસ્તપ્રતોનો સંગ્રહ છે. વિક્રમ સંવત 1934માં દીક્ષાગ્રહણ કરનારા વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી મહારાજ)એ સર્જેલા 400થી 500 ગ્રંથો આજ સુધી પ્રકાશમાં આવ્યા નથી. જૈન મુનિવરોની ટીમ હસ્તપ્રતોની ચકાસણી કરી રહી છે અને તેનું ડિજિટલાઈઝેશન કરી રહી છે. 50થી 60 ટકા કાર્ય પૂર્ણ થયું છે. આ હસ્તપ્રતોમાં ભગવાન મહાવીરના ઉપદેશ, ભારતીય સંસ્કૃતિ અને ઘણા ધર્મોનો સમાવેશ થાય છે.