ભારે વરસાદથી વાહન વ્યવહાર ખોરવાયો, શાકભાજીના ભાવમાં ૨૦-૨૫% નો વધારો
ભારે વરસાદથી વાહન વ્યવહાર ખોરવાયો, શાકભાજીના ભાવમાં ૨૦-૨૫% નો વધારો
Published on: 31st July, 2026

ગુજરાતમાં વરસાદી માહોલને કારણે વાહન વ્યવહાર ખોરવાતાં શાકભાજીની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. પરિણામે, શાકભાજીના ભાવમાં ૨૦ થી ૨૫ ટકા સુધીનો વધારો થયો છે, જેનો સીધો માર મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો પર પડ્યો છે. રોજીંદા શાકભાજીના ભાવ આસમાને પહોંચતાં સામાન્ય પરિવારોના માસિક બજેટ ખોરવાઈ ગયા છે. કંકોડા, કોથમીર, મરચાં, ગવાર, ચોળી અને પરવળ જેવા શાકભાજીના ભાવ રૂ. ૧૦૦ પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે. ધોધમાર વરસાદને કારણે પરિવહન સેવાઓ પ્રભાવિત થતાં માલ બગડ્યો છે અને બજારમાં શાકભાજીનો જથ્થો ઘટતાં છૂટક બજારમાં ભાવ વધ્યા છે.