આસામ-અરુણાચલમાં મેઘતાંડવ!
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ!
Published on: 29th June, 2026

પૂર્વોત્તર ભારતમાં ચોમાસાની શરૂઆત સાથે જ આસામ અને અરુણાચલ પ્રદેશમાં મેઘતાંડવ સર્જાયું છે. અવિરત વરસાદને કારણે ભયાનક ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ સર્જાઈ છે. આસામમાં 100 થી વધુ ગામો પાણીમાં ડૂબી ગયા છે, જેનાથી હજારો લોકો પ્રભાવિત થયા છે. અરુણાચલ પ્રદેશમાં 3 લોકોના મોત અને અનેક લોકો ગુમ થયા છે. 300 મીટર લાંબો લોખંડનો પુલ ધોવાઈ ગયો છે, જેનાથી અનેક વિસ્તારો સંપર્કવિહીન બન્યા છે. SDRF અને વાયુસેના રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. કેન્દ્ર સરકાર અસરગ્રસ્તોને મદદ કરવાની ખાતરી આપી છે.