નેપાળ પૂરમાં 30 ગુજરાતીઓ હજુ પણ ગુમ
નેપાળ પૂરમાં 30 ગુજરાતીઓ હજુ પણ ગુમ
Published on: 10th September, 2026

નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં 30 ગુજરાતીઓ હજુ પણ ગુમ છે. તેમની ઓળખ માટે રાજ્ય સરકાર દ્વારા પરિવારજનોના DNA સેમ્પલ એકત્રિત કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. ગુજરાત સ્ટેટ નોન-રેસિડન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશન (NRGF) આ કામગીરીનું સંકલન કરી રહ્યું છે. એકત્રિત કરાયેલા DNA સેમ્પલનું પ્રોફાઇલિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મળી આવેલા મૃતદેહો અને માનવ અવશેષોની ઓળખ કરી શકાય. ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર, આ પ્રક્રિયામાં દેશભરની ફોરેન્સિક લેબોરેટરીઓ નિઃશુલ્ક સેવા આપી રહી છે. નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) પણ આ પ્રક્રિયામાં મદદ કરી રહી છે.