PM સ્ટાર્મરનું રાજીનામું બ્રિટિશ શાસનવ્યવસ્થાના પતનની સ્વીકૃતિ
બ્રિટનમાં છેલ્લા દસ વર્ષમાં સાત વડાપ્રધાન બદલાતા રાજકીય અસ્થિરતા ચરમસીમાએ પહોંચી છે. તાજેતરમાં વડાપ્રધાન કીર સ્ટાર્મરે આંતરિક વિખવાદ, ચૂંટણીમાં પરાજય અને વિવાદોના કારણે રાજીનામું આપ્યું છે. બ્રેક્ઝિટ બાદ આર્થિક મંદી, મોંઘવારી, ઊર્જા સંકટ, આરોગ્ય સેવાઓની ખરાબ સ્થિતિ અને વધતા જીવનનિર્વાહ ખર્ચે સામાન્ય જનજીવન મુશ્કેલ બન્યું છે. રાજકીય અસ્થિરતા અને નબળા નેતૃત્વના કારણે બ્રિટન ગંભીર પડકારોનો સામનો કરી રહ્યું છે અને નવા નેતૃત્વ સામે મોટી જવાબદારી ઉભી થઈ છે.
PM સ્ટાર્મરનું રાજીનામું બ્રિટિશ શાસનવ્યવસ્થાના પતનની સ્વીકૃતિ
અમેરિકા-ઈરાન તણાવ: બહેરીન પર ઈરાનના ભયંકર ડ્રોન હુમલા, મધ્ય પૂર્વમાં યુદ્ધનો ખતરો
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજ પર હુમલા બાદ અમેરિકાના જવાબમાં ઈરાને બહેરીન પર જવાબી ડ્રોન હુમલા કર્યા છે. ઈરાનનો દાવો છે કે, તેણે બહેરીનમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ ઘટનાક્રમ મધ્ય પૂર્વમાં પરિસ્થિતિને બેકાબૂ બનાવી શકે છે, અને તાજેતરની સંમતિ અને સીઝફાયર જોખમમાં મુકાઈ શકે છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા આત્મઘાતી ડ્રોન મોકલવામાં આવ્યા હતા. બહેરીને આ હુમલાની નિંદા કરી છે, જે અમેરિકી નૌસેનાના પાંચમા બેડાના મુખ્ય મથક પર અસર કરી શકે છે.
અમેરિકા-ઈરાન તણાવ: બહેરીન પર ઈરાનના ભયંકર ડ્રોન હુમલા, મધ્ય પૂર્વમાં યુદ્ધનો ખતરો
અફઘાનિસ્તાનમાં 6.2 તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી-NCR સુધી અનુભવાયા આંચકા
અફઘાનિસ્તાનના હિન્દુકુશ વિસ્તારમાં શનિવારે સાંજે 6.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. National Centre for Seismology અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 215 કિલોમીટરની ઊંડાઈએ હતું. આ કારણે પાકિસ્તાન, ઉત્તર ભારત, ચીન અને મધ્ય એશિયાના અનેક દેશોમાં તેના આંચકા અનુભવાયા. દિલ્હી-NCR અને જમ્મુ-કાશ્મીરમાં પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા અને ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા. હાલમાં કોઈ જાન-માલના નુકસાનની માહિતી નથી. હિન્દુકુશ ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર છે.
અફઘાનિસ્તાનમાં 6.2 તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી-NCR સુધી અનુભવાયા આંચકા
પરીક્ષાના 24 કલાક પહેલા પેપર લીક!
મહારાષ્ટ્રમાં TET પરીક્ષાના 24 કલાક પહેલા પ્રશ્નપત્ર લીક થતાં રાજકારણ ગરમાયું છે. વિપક્ષે સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે, જે સરકાર પરીક્ષાઓ પણ યોગ્ય રીતે કરાવી શકતી નથી, તેણે સત્તા છોડી દેવી જોઈએ. કોંગ્રેસે આ ઘટનાને વહીવટી નિષ્ફળતા ગણાવી છે. મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદે પરીક્ષા સ્થગિત કરવાની સત્તાવાર પુષ્ટિ કરી છે અને નવી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. આ કૌભાંડમાં મોટા માથાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.
પરીક્ષાના 24 કલાક પહેલા પેપર લીક!
ખેડૂત છું, બાળપણથી ખેતી કરું છું: મંત્રી ભગીરથ ચૌધરીની સ્પષ્ટતા
કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી ભગીરથ ચૌધરી કમર્શિયલ કાકડી ખેતી પ્રોજેક્ટ માટે પોતાના જ મંત્રાલય હેઠળની યોજનામાંથી ₹99.03 લાખની સબસિડી મેળવી વિવાદમાં આવ્યા છે. વિપક્ષે 'ભ્રષ્ટાચાર'નો આરોપ લગાવ્યો છે. મંત્રી ચૌધરીએ કહ્યું કે તેઓ બાળપણથી ખેડૂત છે અને 2018માં (મંત્રી બન્યા પહેલા) જ અરજી કરી હતી. તેમણે તમામ વિગતો જાહેર કરી છે અને કહ્યું કે દેશભરમાં હજારો ખેડૂતો આવી સબસિડી લે છે. તેઓ આ ફાર્મનો ઉપયોગ ખેડૂતોને ટ્રેનિંગ આપવા માટે કરે છે.
ખેડૂત છું, બાળપણથી ખેતી કરું છું: મંત્રી ભગીરથ ચૌધરીની સ્પષ્ટતા
પુતિનના વિશ્વસનીય 'સ્પાય' સર્વેઈ ઈવાનોવના મોત અંગે ઘેરાતા રહસ્યો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સંભવિત ઉત્તરાધિકારી અને પૂર્વ સંરક્ષણ મંત્રી સર્વેઈ ઈવાનોવના 73 વર્ષની વયે થયેલા અવસાનને લઈને રહસ્યો ઘેરાઈ રહ્યા છે. ક્રેમલિન (રશિયન રાષ્ટ્રપતિ ભવન) દ્વારા તેમના મૃત્યુનું ચોક્કસ કારણ જાહેર ન કરતા સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 'સોવિયેત જેમ્સ બોન્ડ' તરીકે જાણીતા ઈવાનોવ, પુતિનના KGB સમયના ગાઢ મિત્ર હતા. પોતાની તીક્ષ્ણ બુદ્ધિ અને સખત નજર માટે પ્રખ્યાત, તેઓ 'The Matrix' ના Agent Smith જેવા દેખાતા હતા. તેમનું કરિયર પુતિન સાથેની દોસ્તીને કારણે ઝડપથી આગળ વધ્યું હતું.
પુતિનના વિશ્વસનીય 'સ્પાય' સર્વેઈ ઈવાનોવના મોત અંગે ઘેરાતા રહસ્યો
સુદાનમાં ગૃહયુદ્ધ બાદ માનવીય સંકટની સ્થિતિ
સુદાનમાં ગૃહયુદ્ધ વધુ ગંભીર બનતાં RSFએ અલ-ઓબેદ શહેરને ત્રણ બાજુથી ઘેરી લીધું છે, જ્યારે ડ્રોન હુમલામાં પાંચ ઓઈલ ટેન્ક ફાર્મ નષ્ટ થયા છે. અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રે અહીં અલ-ફાશર જેવી નરસંહારની આશંકા વ્યક્ત કરી છે. 2023થી ચાલતા યુદ્ધમાં લાખો લોકોના મોત અને 1.4 કરોડથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. અલ-ઓબેદ પર કબજો RSF માટે મોટી જીત બની શકે છે, જ્યારે માનવીય સંકટ વધુ વિકરાળ બનવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.
સુદાનમાં ગૃહયુદ્ધ બાદ માનવીય સંકટની સ્થિતિ
પોતાનો જીવ આપી દીધો પણ દીકરીને આંચ ન આવવા દીધી!
વેનેઝુએલામાં આવેલા વિનાશકારી ભૂકંપ દરમિયાન માતૃત્વનું હૃદયસ્પર્શી ઉદાહરણ સામે આવ્યું છે. ફૂટબોલર હેક્ટર બેલોની પત્ની એન્ડ્રિયાએ બિલ્ડિંગ ધરાશાયી થતાં પોતાની નાની દીકરીને બચાવવા માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. ભૂકંપમાં અત્યાર સુધીમાં 920થી વધુ લોકોનાં મોત અને 3,000થી વધુ લોકો ઘાયલ થયા છે. અનેક ઇમારતો ધરાશાયી થઈ છે, જ્યારે રાહત ટીમો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે સતત કામગીરી કરી રહી છે.
પોતાનો જીવ આપી દીધો પણ દીકરીને આંચ ન આવવા દીધી!
હોર્મુઝ ખુલ્યા બાદ ઈરાન સસ્તુ ઓઈલ વેચે છે, તો પણ ભારત કેમ નથી ખરીદતું?
અમેરિકા-ઈરાન શાંતિ વાર્તા બાદ ઈરાની ક્રૂડ પરના પ્રતિબંધ હટ્યા છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પણ ખુલ્યું છે. આ કારણે ઈરાની ક્રૂડ સસ્તું થઈ ગયું છે અને વચેટિયાઓ ભારતીય રિફાઇનરીઓને પ્રતિ બેરલ 3-4 ડોલર સસ્તા ભાવે ઓફર કરી રહ્યા છે. જોકે, ભારતીય રિફાઇનરીઓની સંગ્રહ ક્ષમતા મર્યાદિત છે અને મોટાભાગનો પુરવઠો પહેલેથી જ સુરક્ષિત છે. વિવિધ દેશો સાથેના કરાર અને મોટા ક્રૂડ રિઝર્વને કારણે ભારત સસ્તું ઈરાની ક્રૂડ વધુ ખરીદી શકતું નથી.
હોર્મુઝ ખુલ્યા બાદ ઈરાન સસ્તુ ઓઈલ વેચે છે, તો પણ ભારત કેમ નથી ખરીદતું?
'હિંસાનો જવાબ હિંસાથી', અમેરિકાની ઈરાન પર એરસ્ટ્રાઈક બાદ જેડી વેન્સની ધમકી
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક ઈરાન દ્વારા વ્યાપારી જહાજ પર ડ્રોન હુમલા બાદ અમેરિકાએ જવાબી સૈન્ય કાર્યવાહી કરી મિડલ ઈસ્ટમાં તણાવ વધાર્યો છે. યુએસ ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે ઈરાનને ચેતવણી આપી કે, "હિંસાનો જવાબ હિંસાથી જ આપવામાં આવશે." અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ મુજબ, ઈરાનના આ કૃત્યને યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન ગણી અમેરિકી વાયુસેનાએ ઈરાનના મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજ ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી. ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાનના પગલાને 'મૂર્ખામીભર્યું' ગણાવ્યું. ઈરાને વળતા પ્રહારનો દાવો કર્યો છે.
'હિંસાનો જવાબ હિંસાથી', અમેરિકાની ઈરાન પર એરસ્ટ્રાઈક બાદ જેડી વેન્સની ધમકી
કતાર બ્લાસ્ટમાં જીવ ગુમાવનાર સુરતના સની પટેલની અંતિમ યાત્રામાં ઉમટી જનમેદની, સમગ્ર ભીમપોર બન્યું ગમગીન
સુરતના ભીમપોરના સની પટેલનું કતારના ગેસ પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટમાં મોત થતાં તેમનો પાર્થિવ દેહ ભારતીય દૂતાવાસના સહયોગથી વતન લાવવામાં આવ્યો હતો. માત્ર સાત મહિના પહેલાં પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેઓ કતાર નોકરીએ ગયા હતા. વિસ્ફોટ બાદ શરૂઆતમાં ગુમ થયેલા સનીનો મૃતદેહ હોસ્પિટલમાંથી મળ્યો હતો. ભીમપોર ખાતે તેમના અંતિમ દર્શન અને અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા, જ્યારે પરિવારજનોના આક્રંદથી સમગ્ર વિસ્તાર શોકમગ્ન બન્યો હતો.
કતાર બ્લાસ્ટમાં જીવ ગુમાવનાર સુરતના સની પટેલની અંતિમ યાત્રામાં ઉમટી જનમેદની, સમગ્ર ભીમપોર બન્યું ગમગીન
ઇરાન યુદ્ધ ખતમ કર્યા બાદ ટ્રમ્પનું ધ્યાન 'કમાણી' પર
ઈરાન સાથેનું યુદ્ધ સમાપ્ત થતાં જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન દેશોને ચેતવણી આપી છે કે અમેરિકન કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટેક્સ લગાવનાર દેશોના તમામ માલ પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદશે. ટ્રમ્પે અગાઉના વેપાર કરારો પણ રદ કરવાની ધમકી આપી છે. બીજી તરફ ફ્રાન્સે અમેરિકાના દબાણ સામે ઝૂકવાનો ઇનકાર કર્યો છે અને અમેરિકન ટેક કંપનીઓ પર લાગુ 3 ટકા ડિજિટલ ટેક્સ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
ઇરાન યુદ્ધ ખતમ કર્યા બાદ ટ્રમ્પનું ધ્યાન 'કમાણી' પર
આવતા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવશે!
ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક અને વેપાર સંબંધોને નવી ગતિ આપવા માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આ જાહેરાત કરતાં જણાવ્યું કે તેઓ પણ પ્રવાસની તૈયારીઓ અને લાંબા સમયથી પ્રસ્તાવિત ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવા ભારત આવશે. આ મુલાકાતથી બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ અને ટેરિફ સંબંધિત કરારોને વેગ મળશે તેમજ દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
આવતા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવશે!
પ.બંગાળમાં ધર્માંતરણ વિરોધી કાયદો, UCC અને NRC આવશે: શુભેન્દુ અધિકારી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ રાજ્યમાં ટૂંક સમયમાં જ ધર્માંતરણ વિરોધી કડક કાયદો લાવવાની જાહેરાત કરી છે. આ સાથે, સમાન નાગરિક સંહિતા (UCC) અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) પણ લાગુ કરવામાં આવશે. અધિકારીએ સરહદ પારથી થતી ઘૂસણખોરીને રાજ્યની વસ્તી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો. બીજી તરફ, TMC સાંસદ મહુઆ મોઇત્રાએ આ પગલાંને કટોકટી સાથે સરખાવીને સરકાર પર વિપક્ષને ડરાવવાનો આરોપ લગાવ્યો છે.
પ.બંગાળમાં ધર્માંતરણ વિરોધી કાયદો, UCC અને NRC આવશે: શુભેન્દુ અધિકારી
ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે ઐતિહાસિક શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર
અમેરિકાની મધ્યસ્થતામાં લાંબી વાટાઘાટો બાદ ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે ઐતિહાસિક શાંતિ સમજૂતી પર વોશિંગ્ટનમાં હસ્તાક્ષર થયા છે. આ સમજૂતીને બંને દેશો વચ્ચે કાયમી શાંતિ સ્થાપવા તરફનું મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી હિઝબુલ્લાહનું નિઃશસ્ત્રીકરણ નહીં થાય, ત્યાં સુધી ઇઝરાયલી સેના દક્ષિણ લેબેનોનમાં રહેશે. આ કરાર લેબેનોનની સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે પ્રથમ કદમ છે.
ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે ઐતિહાસિક શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર
અમેરિકાનો ઈરાન પર મિસાઈલ-ડ્રોન સાઈટ્સ પર મોટો હુમલો!
અમેરિકાએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર કથિત ઈરાની હુમલાના જવાબમાં ઈરાનની મિસાઈલ અને ડ્રોન સાઈટ્સ પર મોટો હુમલો કર્યો છે. બંને દેશો વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડમાં શાંતિ કરાર થયા બાદ આ પહેલીવાર છે કે જ્યારે અમેરિકાએ ઈરાન પર સીધો હુમલો કર્યો હોય. આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે વોશિંગ્ટન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાનની કાર્યવાહીનો જવાબ આપવાની તૈયારીના સંકેત આપ્યા હતા. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જાહેરાત કરી કે ઈરાનની અંદર ઘૂસીને મિસાઈલ, ડ્રોન સ્ટોરેજ અને કોસ્ટલ રડાર સાઈટ્સને નિશાન બનાવવામાં આવ્યા છે.
અમેરિકાનો ઈરાન પર મિસાઈલ-ડ્રોન સાઈટ્સ પર મોટો હુમલો!
વેનેઝુએલામાં ફરી ધ્રુજી ધરતી, 4.9નો મોટો આફ્ટરશોક આવતા અફરા તફરી
દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં આવેલા વિનાશકારી ભૂકંપે ભારે તબાહી મચાવી દીધી છે. શનિવારે સવારે વેનેઝુએલામાં ફરી એકવાર ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 માપવામાં આવી છે. વૈજ્ઞાનિકો આને મુખ્ય ભૂકંપ પછીના 'આફ્ટર શોક' તરીકે જોઈ રહ્યા છે. આ નવા ઝટકાના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
વેનેઝુએલામાં ફરી ધ્રુજી ધરતી, 4.9નો મોટો આફ્ટરશોક આવતા અફરા તફરી
ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ: તેહરાનમાં અમેરિકાનો મોટો હુમલો
મધ્ય પૂર્વમાં ફરી તણાવ વધ્યો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વ્યાવસાયિક જહાજ પર ડ્રોન હુમલા બાદ અમેરિકાએ ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) મુજબ, ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ પર જવાબી હવાઈ હુમલા કરાયા છે. આ કાર્યવાહી વ્યાવસાયિક જહાજ પર થયેલા હુમલાના જવાબમાં છે. અમેરિકાએ ઈરાનના મિસાઈલ, ડ્રોન સંગ્રહ કેન્દ્રો અને રડાર સાઇટ્સને નિશાન બનાવ્યા. CENTCOM મુજબ, સિંગાપુરના ધ્વજવાળું જહાજ M/V Ever Lovely પર થયેલો હુમલો અયોગ્ય અને યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન હતું.
ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ: તેહરાનમાં અમેરિકાનો મોટો હુમલો
અમિત શાહ ગાંધીનગરમાં 'ભારત ટેક્ષી' લોન્ચ કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 અને 28 જૂને તેમના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે અને મહત્વપૂર્ણ બેઠકો યોજશે. 27 જૂને સવારે 11 વાગ્યે મહાત્મા મંદિરમાં ભારતની પ્રથમ ડ્રાઇવર-માલિકીની સહકારી ટેક્સી સેવા "ભારત ટેક્ષી"નો શુભારંભ કરશે. ત્યારબાદ DISHA બેઠક અને અમદાવાદમાં 'હરિયાળી લોકસભા' અભિયાનની સમીક્ષા કરશે. સાંજે રાણીપમાં લોકદરબાર યોજાશે. 28 જૂને બુથ પ્રમુખો સાથે ચિંતન શિબિર યોજાશે અને અંતે 'PM Family Care Tracker'નું લોકાર્પણ કરશે.
અમિત શાહ ગાંધીનગરમાં 'ભારત ટેક્ષી' લોન્ચ કરશે
બંગાળમાં UCC લાગુ થશે, લવ જિહાદ, ધર્માંતરણ અને ઘૂસણખોરો પર કાર્યવાહી: શુભેન્દુ અધિકારી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે લેન્ડ જિહાદ, લવ જિહાદ અને બળજબરીથી ધર્માંતરણ વિરુદ્ધ કડક કાયદા લાવવામાં આવશે. ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરી સંસ્કૃતિ કે સુરક્ષા વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સામેલ ઘૂસણખોરોને ઓળખી દેશનિકાલ કરાશે. આ જાહેરાત તેમણે 'વંદે માતરમ'ના 150 વર્ષ પૂર્ણ થવા પર કોલકાતામાં આયોજિત કાર્યક્રમમાં કરી.
બંગાળમાં UCC લાગુ થશે, લવ જિહાદ, ધર્માંતરણ અને ઘૂસણખોરો પર કાર્યવાહી: શુભેન્દુ અધિકારી
બેટરી રિસાયક્લિંગના નવા નિયમોથી ઇલેક્ટ્રિક કાર પાંચ ટકા સુધી મોંઘી થશે
વાહન ઉત્પાદકોના સંગઠન સિયામે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જણાવ્યું છે કે હાલના બેટરી રિસાયક્લિંગ નિયમોના કારણે ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં 3થી 5 ટકા વધારો થઈ શકે છે, જે ઈવી વેચાણને અસર કરશે. સિયામના જણાવ્યા મુજબ, લિથિયમ આયર્ન ફોસ્ફેટ બેટરીનું આયુષ્ય લાંબું હોવાથી વર્તમાન રિસાયક્લિંગ લક્ષ્યો વ્યવહારુ નથી. સંસ્થાએ નિયમોમાં સરળતા લાવવાની માંગ સાથે જણાવ્યું કે હાલના નિયમોથી ઉત્પાદકો પર વધારાનો આર્થિક બોજ પડશે.
બેટરી રિસાયક્લિંગના નવા નિયમોથી ઇલેક્ટ્રિક કાર પાંચ ટકા સુધી મોંઘી થશે
વાઈબ્રન્ટ ગુજરાત: રૂ. 2101 કરોડના 730 MoU, ઊર્જા મંત્રી અને રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લા સ્તરીય કાર્યક્રમ.
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં જિલ્લા સ્તરીય વાઈબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ઔદ્યોગિક વિકાસ માટે 730 એમ.ઓ.યુ. (MoUs) થયા, જે દ્વારા રૂ. 2101.66 કરોડનું સંભવિત રોકાણ આવશે અને 6941 રોજગારી સર્જાશે. 'વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026'માં ડ્રોન ટેકનોલોજી, રોબોટિક્સ, મશીન લર્નિંગ જેવા વિષયો આવરી લેવાયા છે. એમ.એસ.એમ.ઈ. (MSME) સેક્ટર માટે 50-75% સબસિડીની જોગવાઈ છે. અમદાવાદની મજબૂત ઇન્ડસ્ટ્રિયલ ઇકોસિસ્ટમ અને ઇન્વેસ્ટમેન્ટ ઝોનની સિદ્ધિઓ રજૂ કરાઈ. આત્મનિર્ભર અને વાજપાઈ બેન્કેબલ યોજનાના લાભાર્થીઓને સેંક્શન લેટર તથા સબસિડી વિતરણ કરાયું.
વાઈબ્રન્ટ ગુજરાત: રૂ. 2101 કરોડના 730 MoU, ઊર્જા મંત્રી અને રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લા સ્તરીય કાર્યક્રમ.
ગારફીલ્ડ AI ચેટબોટે કોર્ટમાં દલીલો કરીને કેસ જીતી!
બ્રિટનની એક કોર્ટમાં Robot Advocate તરીકે ગારફીલ્ડ AI ચેટબોટે એક માનવ વકીલને હરાવી દીધો. તેની ધારદાર દલીલોને કારણે કોર્ટે AI ચેટબોટના ક્લાયન્ટના પક્ષમાં 7000 પાઉન્ડનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો. આ ઘટના AI દ્વારા કાયદાકીય ક્ષેત્રે પહેલી વખત બની છે. AI પાવર્ડ લૉ ફર્મ ગારફીલ્ડે ક્લાયન્ટનો કેસ AI એજન્ટને લડવા આપ્યો હતો, જેણે દસ્તાવેજો તૈયાર કર્યા, સાક્ષીઓના નિવેદનો નોંધ્યા અને એવી દલીલો કરી કે માનવ વકીલ માટે ટકી રહેવું મુશ્કેલ બન્યું.
ગારફીલ્ડ AI ચેટબોટે કોર્ટમાં દલીલો કરીને કેસ જીતી!
વૈશ્વિક બજારોમાં બોલી ગયેલો કડાકો જાપાનનો નિક્કી ૩૦૦૫ પોઈન્ટ ગબડયો
અમેરિકા-ઈરાન શાંતિ કરાર બાદ ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો થતાં ગોલ્ડમેન સાક્સે ભારતના કેલેન્ડર વર્ષ 2026ના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ વધારીને 6.8 ટકા કર્યો છે. મજબૂત સ્થાનિક અર્થવ્યવસ્થા અને ઘટતા તેલના ભાવથી ભારતના આર્થિક જોખમોમાં ઘટાડો થયો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. સાથે જ રિટેલ ફુગાવાનો અંદાજ 5.1 ટકાથી ઘટાડીને 4.9 ટકા કરવામાં આવ્યો છે, જેનાથી અર્થતંત્રને વધુ સ્થિરતા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
વૈશ્વિક બજારોમાં બોલી ગયેલો કડાકો જાપાનનો નિક્કી ૩૦૦૫ પોઈન્ટ ગબડયો
આયર્લેન્ડ સામે ભારતનો પહેલો પરાજય, અભિષેક શર્માની મહેનત વ્યર્થ
ડબ્લિન ખાતે રમાયેલી T20 મેચમાં આયર્લેન્ડ સામે ભારતનો પ્રથમ પરાજય થયો છે, જેમાં આયર્લેન્ડે 34 રનથી શાનદાર જીત મેળવી. આયર્લેન્ડના લોર્કન ટકરની અડધી સદી અને ગેરેથ ડેલાનીની આક્રમક બેટિંગની મદદથી 182 રન બનાવ્યા. જવાબમાં, અભિષેક શર્માના 49 રન છતાં, મેટ હોલાર્ડની 3 વિકેટો સામે ભારત 148 રનમાં ઓલઆઉટ થયું. હર્ષિત રાણાએ ભારત માટે 3 વિકેટ લીધી હતી.
આયર્લેન્ડ સામે ભારતનો પહેલો પરાજય, અભિષેક શર્માની મહેનત વ્યર્થ
પંચાયતોની મુદત પુરી, સરપંચોને પ્રશાસક બનાવવાનો સરકારનો નિર્ણય, હાઈકોર્ટ લાલઘૂમ.
ઉત્તર પ્રદેશમાં ગ્રામ પંચાયતોની મુદત પુરી થયા બાદ સરપંચોને જ પ્રશાસક તરીકે નિયુક્ત કરવાના સરકારના નિર્ણયને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું કે, સરપંચોને પ્રશાસક તરીકે ચાલુ રાખવાની મંજૂરી આપી શકાય નહીં, જે ડિવિઝન બેંચના અગાઉના આદેશનું ઉલ્લંઘન છે. કોર્ટે રાજ્ય સરકારને OBC કમિશનનો રિપોર્ટ અને ચૂંટણીની સમયસીમા રજૂ કરવા અંતિમ તક આપી છે. આગામી સુનાવણી 13 જુલાઈએ યોજાશે.
પંચાયતોની મુદત પુરી, સરપંચોને પ્રશાસક બનાવવાનો સરકારનો નિર્ણય, હાઈકોર્ટ લાલઘૂમ.
અમરેલીના ચતુરીમાં સિંહણના હુમલામાં બાળકનું મોત, અર્જુન મોઢવાડીયા પહોંચ્યા પરિવારને મળવા
અમરેલીના ચતુરી ગામમાં સિંહણના હુમલામાં પાંચ વર્ષીય બાળકના મોત બાદ વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ પીડિત પરિવારને સાંત્વના આપી અને ગામલોકો સાથે બેઠક કરી. સ્થાનિકોએ સિંહોના વધતા હુમલા અને સુરક્ષાના મુદ્દે રજૂઆતો કરી. છેલ્લા એક મહિનામાં વિસ્તારમાં સિંહ હુમલામાં ચાર લોકોના મોત થયા છે. વનમંત્રીએ માનવ-સિંહ સંઘર્ષ ઘટાડવા નવી SOP તૈયાર કરવાની અને લોકોની સુરક્ષા માટે જરૂરી પગલાં ભરવાની ખાતરી આપી છે.
અમરેલીના ચતુરીમાં સિંહણના હુમલામાં બાળકનું મોત, અર્જુન મોઢવાડીયા પહોંચ્યા પરિવારને મળવા
ટ્રમ્પ પ્રશાસનનો OpenAI ને આદેશ!
અમેરિકાની ટ્રમ્પ સરકારે AI કંપની OpenAI ને તેના નવા અને શક્તિશાળી AI મોડલ 'GPT-5.6' ને એકસાથે લોન્ચ કરવાને બદલે 'સ્ટગર્ડ' એટલે કે તબક્કાવાર રીતે રજૂ કરવા જણાવ્યું છે. આ નિર્ણય AI ક્ષેત્રે વધી રહેલી ચિંતાઓ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને લેવાયો છે. OpenAI ના CEO સેમ ઓલ્ટમેને સરકારની આ વિનંતી સ્વીકારી, પસંદગીના ભાગીદારોને જ પ્રથમ એક્સેસ આપવાની વાત કરી છે. તાજેતરમાં જ એન્થ્રોપિક કંપની પર પણ આવી જ રીતે નિયામકીય દબાણ લાવવામાં આવ્યું હતું.
ટ્રમ્પ પ્રશાસનનો OpenAI ને આદેશ!
41 વર્ષ બાદ આખરે કેનેડા ઝૂક્યું!
વર્ષ 1985ના એર ઈન્ડિયા ફ્લાઇટ 182 બ્લાસ્ટ કેસમાં કેનેડાની ગુપ્તચર એજન્સી CSISએ પ્રથમવાર સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે હુમલો ખાલિસ્તાની આતંકવાદી સંગઠન બબ્બર ખાલસાએ કર્યો હતો. આ વિસ્ફોટમાં 82 બાળકો અને 4 નવજાત સહિત 329 લોકોનાં મોત થયા હતા. કેનેડાએ તેને દેશના ઇતિહાસનો સૌથી ઘાતક આતંકી હુમલો ગણાવ્યો છે. તે જ દિવસે જાપાનમાં થયેલા બીજા બોમ્બ વિસ્ફોટનો સંબંધ પણ આ જ આતંકી સંગઠન સાથે હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
41 વર્ષ બાદ આખરે કેનેડા ઝૂક્યું!
અમદાવાદના દધિચી બ્રિજ પરથી સાબરમતી નદીમાં કૂદવા જતા યુવક માટે 'દેવદૂત' બન્યા MLA!
અમદાવાદના દધીચી બ્રિજ પર એક યુવકે નદીમાં કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને તેમની ટીમે સમયસર હસ્તક્ષેપ કરીને તેનો જીવ બચાવ્યો. ઘટનાની જાણ પોલીસને કરાતા યુવકને કાઉન્સેલિંગ માટે સોંપવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં પારિવારિક વિવાદ અને પત્ની અલગ થઈ જવાથી માનસિક તણાવમાં આવી આ પગલું ભર્યાનું સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદના દધિચી બ્રિજ પરથી સાબરમતી નદીમાં કૂદવા જતા યુવક માટે 'દેવદૂત' બન્યા MLA!
'પહેલા અમારું અનાજ ખરીદો...' ઈરાનને 12 બિલિયન ડોલર આપતા પહેલા ટ્રમ્પની આકરી શરત
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ બાદ હવે ફ્રીઝ કરાયેલા 12 અબજ ડોલરના ફંડના ઉપયોગ મુદ્દે મતભેદ સર્જાયો છે. અમેરિકા ઈચ્છે છે કે આ રકમનો ઉપયોગ અમેરિકન ખેડૂતો પાસેથી કૃષિ ઉત્પાદનો ખરીદવા માટે થાય, જ્યારે ઈરાને આ શરત ફગાવીને સ્પષ્ટ કર્યું છે કે મુક્ત થયેલા નાણાં પર તેનો સંપૂર્ણ અધિકાર રહેશે. બંને દેશોએ સ્વિટ્ઝરલેન્ડમાં આ મુદ્દે ચર્ચા કરી છે, પરંતુ ફંડના ઉપયોગને લઈને વિરોધાભાસી દાવાઓ સામે આવ્યા છે. નિષ્ણાતોના મતે આ આર્થિક વિવાદ અંતિમ શાંતિ કરારના માર્ગમાં મોટો અવરોધ બની શકે છે.