નર્મદાની કેનાલ હોવા છતાં ખેડૂતો પાણીથી વંચિત
નર્મદાની કેનાલ હોવા છતાં ખેડૂતો પાણીથી વંચિત
Published on: 04th September, 2026

કચ્છના બાગ ગામની નર્મદા મુખ્ય કેનાલમાં પાણી વહી રહ્યું છે, છતાં માઈનોર કેનાલમાં પાણી છોડાયું નથી. બે વર્ષ પહેલાં ટેસ્ટિંગ થયું હતું, પરંતુ ગ્રેડિયન્ટ (ઢોળાવ) ની સમસ્યાને કારણે પાણી સીધું અંતિમ છેડા સુધી વહી જાય છે. મધ્યના ખેતરોમાં પાણી પહોંચતું નથી. અધિકારીઓ અને એન્જિનિયરોની ભૂલના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતો લાચાર છે. વરસાદ ખેંચાતા પાક સુકાઈ રહ્યા છે, જેનાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.