ખેડાસાના ખેડૂત પ્રવિણભાઈએ બનાવી 10 પર્ણિય જૈવિક દવા, રાસાયણિક ખર્ચમાંથી મુક્તિ
ખેડાસાના ખેડૂત પ્રવિણભાઈએ બનાવી 10 પર્ણિય જૈવિક દવા, રાસાયણિક ખર્ચમાંથી મુક્તિ
Published on: 17th August, 2026

રાસાયણિક દવાઓના વધતા ખર્ચ અને શાકભાજીમાં ઝેરી તત્વોના પ્રશ્નો વચ્ચે બોરસદના ખેડાસા ગામના ખેડૂત પ્રવિણભાઈ ઝાલાએ એક અદ્ભુત જૈવિક ઉપાય શોધી કાઢ્યો છે. તેમણે 10 પ્રકારની વનસ્પતિઓનો ઉપયોગ કરીને અસરકારક '10 પર્ણિય જંતુનાશક દવા' તૈયાર કરી છે. આ દવા માત્ર 1000 રૂપિયામાં 200 લિટર તૈયાર થાય છે અને એક વીઘા માટે માત્ર 250ml ની જરૂર પડે છે. આ દવા પાકમાં જીવાતનો ઉપદ્રવ ઘટાડે છે, ઉત્પાદન વધારે છે અને જમીનની ફળદ્રુપતામાં પણ સુધારો કરે છે.